Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ખલાસ

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ખલાસ

Published : 04 June, 2025 12:21 PM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૈશના આતંકવાદી મૌલાના અબ્દુલ અઝીઝનો રહસ્યમય રીતે ગયો જીવ

મૌલાના અબ્દુલ અઝીઝ ઇસર

મૌલાના અબ્દુલ અઝીઝ ઇસર


પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખેલ ખતમ થઈ ગયો છે. જૈશ-એ-મોહમ્મદ (JeM)ના સિનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરનું રહસ્યમય રીતે મોત થયું છે. આ સમાચારે ગુપ્તચર વર્તુળોથી લઈને આતંકવાદી નેટવર્ક સુધી ખળભળાટ મચાવી દીધો છે. જૈશ-એ-મોહમ્મદના આ કુખ્યાત આતંકવાદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જોકે તેનું મૃત્યુ કેવી રીતે થયું એ હજી પણ રહસ્ય છે. તેને બહાવલપુરમાં દફનાવવામાં આવ્યો હતો, પરંતુ મૃત્યુના કારણ અંગે બધા મૌન છે. ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓ હચમચી ગયા છે અને તેઓ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે.


પાકિસ્તાનના બહાવલપુરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં જૈશનું મુખ્ય મથક પણ આવેલું છે. અબ્દુલ અઝીઝ એ જ આતંકવાદી હતો જેણે ગયા મહિને જૈશની રૅલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેણે ખુલ્લા મંચ પરથી ધમકી આપી હતી કે ભારતનું ભાગ્ય યુનિયન ઑફ સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિકન (USSR) જેવું થશે. જૈશ સાથે સંકળાયેલાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સે તેના દફનાવવાની પુષ્ટિ કરી છે, પરંતુ જૈશ અને પાકિસ્તાન સરકારે આતંકવાદીનો જીવ કઈ રીતે ગયો એ અંગે મૌન ધારણ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 12:21 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK