Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જયશંકરે પાક. સ્પીકર સાથે ઢાકામાં હાથ મિલાવ્યો હોવાનો ફોટો યુનુસે શૅર કર્યો, પછી ડિલીટ કર્યો

જયશંકરે પાક. સ્પીકર સાથે ઢાકામાં હાથ મિલાવ્યો હોવાનો ફોટો યુનુસે શૅર કર્યો, પછી ડિલીટ કર્યો

Published : 31 December, 2025 07:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ તસવીર શૅર કરી તેમણે લખ્યું "બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર કાર્યક્રમ પહેલા, બુધવારે ઢાકામાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિક ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીત કરી હતી."

એસ જયશંકરે કાર્યક્રમ પહેલા પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિકને મળ્યા

એસ જયશંકરે કાર્યક્રમ પહેલા પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિકને મળ્યા


બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા પહોંચેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કાર્યક્રમ પહેલા પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિકને મળ્યા હતા, જેની તસવીર યુનુસે શૅર કરી હતી. જોકે હવે તેમણે આ ટ્વિટ હવે ડિલીટ કરી દીધું છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસે X પર બન્ને નેતાઓના હાથ મળાવતો ફોટો શૅર કર્યો હતો. આ તસવીર શૅર કરી તેમણે લખ્યું "બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર કાર્યક્રમ પહેલા, બુધવારે ઢાકામાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિક ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીત કરી હતી." આ વાતચીત બાંગ્લાદેશમાં ત્રીજા દેશમાં ભારતીય અને પાકિસ્તાની પ્રતિનિધિઓ વચ્ચે નિર્માણ થયેલી એક જાહેરમાં થયેલી દુર્લભ ક્ષણનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો.

ટ્વિટ ડિલીટ કર્યું



ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની આ દુર્લભ મુલાકાતની તસવીર અને પોસ્ટ યુનુસે ડિલીટ કરી દીધી છે, જોકે તે પહેલા જ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તેમ જ આ વાતચીત ટૂંકી અને અનૌપચારિક હતી, જેમાં બન્ને પક્ષો દ્વારા ચર્ચા કે પરિણામો અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું ન હતું. તેમ છતાં, ભારત-પાકિસ્તાન સંબંધોના વ્યાપક સંદર્ભને કારણે આ મુલાકાતે ધ્યાન ખેંચ્યું છે.


ખાલિદા ઝિયા વિશે

ખાલિદા ઝિયા, 80 વર્ષીય, મંગળવારે સવારે 6:00 વાગ્યે, ફજર (સવાર) ની નમાઝ પછી, ઢાકાની એવરકેર હૉસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન પામ્યા હતા. અહેવાલો અનુસાર, નેપાળના વિદેશ પ્રધાન નંદા શર્મા, શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિતા હેરાથ, ભૂટાનના વિદેશ પ્રધાન ડી.એન. ધુંગેલ, માલદીવના શિક્ષણ પ્રધાન અલી હૈદર અહેમદ, પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિક અને થાઇલૅન્ડ અને મલેશિયા સરકારના પ્રતિનિધિઓ સહિત દક્ષિણ એશિયાના અનેક નેતાઓએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાનના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.


ભારતે શોક વ્યક્ત કર્યો

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નિધન પર ભારતે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર બુધવારે ઢાકા પહોંચ્યા હતા, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો શોક પત્ર અને ભારત સરકાર અને ભારતના લોકોનો શોક સંદેશ લઈને પહોંચ્યા હતા. તેમણે આ દુઃખની ઘડીમાં બાંગ્લાદેશના લોકો પ્રત્યે ભારતની સંવેદના વ્યક્ત કરી હતી અને ખાલિદા ઝિયાના લોકશાહીમાં યોગદાનને યાદ કર્યું હતું. ભારતમાં બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર રિયાઝ હમીદુલ્લાહે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે ડૉ. એસ. જયશંકરે ઢાકામાં વડા પ્રધાન મોદીનો શોક સંદેશ પહોંચાડતા કહ્યું હતું કે ભારત આ દુઃખની ઘડીમાં બાંગ્લાદેશની સાથે ઉભું છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2025 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK