Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર, જાણો સંપૂર્ણ વિગતો

ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર, જાણો સંપૂર્ણ વિગતો

Published : 18 December, 2025 04:38 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ કરારનો મુખ્ય મુદ્દો એ છે કે ઓમાનમાં ભારતીય વ્યાવસાયિકો માટે વધુ તકો ખુલશે. ઓમાને કમ્પ્યુટર સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ, ઑડિઓ-વિઝ્યુઅલ સેવાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળ સહિત અનેક ક્ષેત્રોમાં ભારતીય સેવા પ્રદાતાઓ માટે ચોક્કસ પ્રતિબદ્ધતાઓ કરી છે.

ઓમાનના મસ્કતમાં ભારત-ઓમાન બિઝનેસ ફોરમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર: એજન્સી)

ઓમાનના મસ્કતમાં ભારત-ઓમાન બિઝનેસ ફોરમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર: એજન્સી)


ભારત અને ઓમાન વચ્ચે ગુરુવારે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા, જેના હેઠળ ભારત દ્વારા ઓમાનમાં થતી 98 ટકા નિકાસને ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે. ભારત ઓમાનથી આયાત થતી વસ્તુઓ, જેમાં ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, તેના પર ડ્યુટી પણ ઘટાડશે. આ કરાર પર ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પ્રધાન પિયુષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન પ્રધાન કૈસ બિન મોહમ્મદ અલ યુસુફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મસ્કતમાં હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાથી અમલમાં આવવાની અપેક્ષા છે.

ઓમાન દ્વારા તેના 98 ટકા ઉત્પાદનો પર શૂન્ય-ડ્યુટી ઍક્સેસ ઑફર કરવામાં આવી છે, જેનાથી ભારતના મુખ્ય નિકાસ ક્ષેત્રો જેમ કે રત્નો અને ઝવેરાત, કાપડ, ચામડું, ફૂટવેર, રમતગમતના સામાન, કૃષિ ઉત્પાદનો, ઍન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને ઓટોમોબાઇલ્સને ફાયદો થશે. આ ઉત્પાદનોમાંથી 97.96 ટકા પર તાત્કાલિક ડ્યુટી નાબૂદીની ઑફર કરવામાં આવી છે. વધુમાં, ભારત ઓમાનથી આયાત થતી તેની 77.79 ટકા વસ્તુઓ પર ટૅરિફ ઘટાડશે, જે ઓમાનની નિકાસના 94.81 ટકા જેટલી છે. ભારતે ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ્સ જેવા ચોક્કસ સંવેદનશીલ ઉત્પાદનો માટે ટૅરિફ-રેટ ક્વોટા (TRQ) આધારિત ડ્યુટી-ફ્રી આયાતનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, કૃષિ ઉત્પાદનો, સોના અને ચાંદીના દાગીના અને અન્ય શ્રમ-આધારિત ઉત્પાદનો જેવા ચોક્કસ ઉત્પાદનોને ખાસ કરીને મુક્તિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.



આ કરારનો મુખ્ય મુદ્દો એ છે કે ઓમાનમાં ભારતીય વ્યાવસાયિકો માટે વધુ તકો ખુલશે. ઓમાને કમ્પ્યુટર સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ, ઑડિઓ-વિઝ્યુઅલ સેવાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળ સહિત અનેક ક્ષેત્રોમાં ભારતીય સેવા પ્રદાતાઓ માટે ચોક્કસ પ્રતિબદ્ધતાઓ કરી છે. વધુમાં, ભારતીય વ્યાવસાયિકો માટે કૌશલ્ય-આધારિત વ્યવસાયોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જે ઓમાનમાં ભારતીય વ્યાવસાયિકો માટે વધુ તકો પૂરી પાડે છે. કરારમાં બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઓમાનમાં ભારત માટે 100 ટકા વિદેશી સીધા રોકાણ (FDI) ની મંજૂરી છે, જે ભારતીય સેવા ઉદ્યોગને આ ક્ષેત્રમાં વધુ વિસ્તરણ કરવાની તક પૂરી પાડે છે.


ભારત અને ઓમાન વચ્ચેનો આ કરાર દ્વિપક્ષીય વેપારને વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આશરે 700,000 ભારતીય નાગરિકો ઓમાનમાં રહે છે, અને ભારત દર વર્ષે ઓમાનથી આશરે US ડૉલર 2 બિલિયન રેમિટન્સ મેળવે છે. ભારત અને ઓમાન વચ્ચેનો આ કરાર ભારતની વેપાર નીતિ હેઠળ હસ્તાક્ષર કરાયેલા અગાઉના કરારો પછી, આગળનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભારતે તાજેતરમાં UAE અને UK સાથે પણ વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, અને હવે ઓમાન સાથેનો આ કરાર ભારતના વૈશ્વિક વેપારને વધારવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2025 04:38 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK