ઉજ્જૈનના ધાર્મિક નેતાઓએ IPL 2026ના એકમાત્ર બંગલાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા તાજેતરના હુમલાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં ધાર્મિક નેતાઓએ ચોંકાવનારી ચેતવણી આપી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસ
બાંગ્લાદેશે ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત લઘુમતી સમુદાયો વિરુદ્ધ કથિત ‘મોટા પાયે હિંસા’ થઈ રહ્યા હોવાનો આરોપ કરી તેના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નિવેદનમાં ક્રિસમસ દરમિયાન ભારતભરમાં લઘુમતી સમુદાય પર થયેલા આ કથિત હુમલાઓની તપાસ કરવાની અને ગુનેગારોને ન્યાય અપાવવાની માગ પણ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવી હતી. નોંધપાત્ર રીતે, બાંગ્લાદેશનું આ ભારત વિરોધી નિવેદન તે જ દિવસે આવ્યું જ્યારે પાકિસ્તાને આ જ આરોપો સાથે ભારતની ટીકા કરવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી પ્રશ્નો ઉભા થાય છે કે શું બાંગ્લાદેશે પાકિસ્તાનના ઇશારે આવું નિવેદન આપ્યું હતું.
બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે શું કહ્યું
ADVERTISEMENT
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ. એમ. મહબુબુલ આલમે ભારતમાં લઘુમતી સમુદાયો પર થઈ રહેલા કથિત અત્યાચાર અંગે તેમની સરકારનું વલણ જણાવ્યું. તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાની તાજેતરની ટિપ્પણીઓને ‘પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધી. એસ. એમ. મહબુબુલ આલમે ભારતના વિવિધ પક્ષોને બાંગ્લાદેશમાં લઘુમતી મુદ્દાઓ પર ભ્રામક માહિતી ફેલાવવાનું ટાળવા પણ વિનંતી કરી.
ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર કથિત હુમલાનો આરોપ
મહબુબુલ આલમે કહ્યું, "ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત વિવિધ લઘુમતી સમુદાયો સામે થતી ક્રૂર હત્યાઓ, મૉબ લિન્ચિગ, ધરપકડો અને ધાર્મિક વિધિઓમાં વિક્ષેપથી અમે ખૂબ ચિંતિત છીએ. જેમ તમે ઉલ્લેખ કર્યો છે, આ મહિનાની શરૂઆતમાં, ઓડિશામાં એક મુસ્લિમ યુવાન, જ્વેલ રાણાની ક્રૂર હત્યા, બિહારમાં મોહમ્મદ અઝહર હુસૈનની ક્રૂર હત્યા, કેરળમાં બાંગ્લાદેશી હોવાની શંકામાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા, અને વિવિધ સ્થળોએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે મૉબ લિન્ચિગ અને હિંસાની ઘટનાઓ થઈ." ભારત પાસેથી નિષ્પક્ષ તપાસની માગ કરે છે. તેમણે વધુમાં કહ્યું, "ગયા અઠવાડિયે નાતાલની ઉજવણી દરમિયાન ભારતભરમાં ખ્રિસ્તીઓ સામે થયેલી ભીડ હિંસાની ઘટનાઓથી બાંગ્લાદેશ પણ ખૂબ ચિંતિત છે. અમે આ ઘટનાઓની સ્પષ્ટ નિંદા કરીએ છીએ અને તેમને નફરતના ગુનાઓ અને લક્ષિત હિંસા ગણીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ભારતના સંબંધિત અધિકારીઓ આ ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરશે અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવશે. અમારું માનવું છે કે દરેક દેશની જવાબદારી છે કે તે તેના લઘુમતી સમુદાયોની ગરિમાનું રક્ષણ કરે અને તેને જાળવી રાખે, અને દરેક દેશે આ જવાબદારી નિભાવવી જોઈએ."
બંગલાદેશી મુસ્તફિઝુર રહમાનને ભારતમાં રમાડશો તો સ્ટેડિયમ પર હુમલો કરીને પિચને નુકસાન પહોંચાડીશું
ઉજ્જૈનના ધાર્મિક નેતાઓએ IPL 2026ના એકમાત્ર બંગલાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા તાજેતરના હુમલાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં ધાર્મિક નેતાઓએ ચોંકાવનારી ચેતવણી આપી છે. ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી મહાવીર નાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને આગામી સીઝનમાં રમવાની મંજૂરી આપવામાં આવશે તો IPL 2026ની મૅચોમાં ખલેલ પાડવામાં આવશે. સ્ટેડિયમ પર હુમલો થશે અને એ બંગલાદેશી ક્રિકેટરને લગતી મૅચોને રોકવા માટે પિચને નુકસાન પહોંચાડવામાં આવશે. દેશના અધિકારીઓ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને અવગણી રહ્યા છે.’ અહેવાલ અનુસાર ભારતમાં અન્ય ધાર્મિક સંગઠનોએ પણ આવી જ ચેતવણીઓ જારી કરી શકે છે.


