Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કંબોડિયામાં આવેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિ થાઇલૅન્ડની સેનાએ તોડી નાખી

કંબોડિયામાં આવેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિ થાઇલૅન્ડની સેનાએ તોડી નાખી

Published : 25 December, 2025 08:42 AM | IST | Cambodia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાઇલૅન્ડની સેનાએ કંબોડિયાની સીમાની ૪૦૦ મીટર અંદર બનેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિને તોડી નાખી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


થાઇલૅન્ડની સેનાએ કંબોડિયાની સીમાની ૪૦૦ મીટર અંદર બનેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિને તોડી નાખી હતી. સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં થાઇસેનાના એન્જિનિયર્સ એક બુલડોઝરથી ભગવાન વિષ્ણુની મોટી મૂર્તિ પાડતા જોવા મળે છે. આ ઘટના બાવીસ ડિસેમ્બરે બની હતી. આ તોડફોડ ધાર્મિક દુશ્મનીને કારણે નહીં, પરંતુ ક્ષેત્રીય દાવાઓને કારણે થઈ હતી.

૨૦૧૩માં આ મૂર્તિ કંબોડિયાની સેનાએ એ જમીન પર લગાવી હતી જેને થાઇલૅન્ડ પોતાનો વિસ્તાર માનતું હતું. આ વિસ્તારમાં એક કસીનો પણ હતો. થાઇસેનાએ આ જમીન પર કબજો મેળવવા માટે મૂર્તિને નષ્ટ કરી હતી અને એ વિસ્તાર પર ફરી નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો હતો.



મૂર્તિ તોડવાની ઘટના પર ભારતે ચિંતા જતાવી હતી અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘મંગળવારે ધાર્મિક પ્રતીકોનું અપમાન કરવામાં આવ્યું. એ દુનિયાભરના શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જમીનની લડાઈમાં આવું ન થવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 08:42 AM IST | Cambodia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK