Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: થાણેમાં 12 માળની રહેણાંક ઈમારતમાં લાગી આગ,  કોઈ જાનહાની નહીં

Mumbai: થાણેમાં 12 માળની રહેણાંક ઈમારતમાં લાગી આગ,  કોઈ જાનહાની નહીં

Published : 26 October, 2021 10:39 AM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લગભગ 15 જેટલા પરિવારોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ (Mumbai)ના થાણે(Thane)શહેરમાં મંગળવારે સવારે ગ્રાઉન્ડ પ્લસ 12 માળની રહેણાંક ઇમારતમાં આગ (Fire) ફાટી નીકળી હતી.જો કે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિના અહેવાલ નથી, લગભગ 15 જેટલા પરિવારોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)ના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે, રઘુનાથ નગર સ્થિત બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ફ્લેટમાં સવારે 4.45 વાગ્યે આગ ફાટી નીકળી હતી.



મેસેજ મળતાં જ ફાયરમેન, આરડીએમસીની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. 


અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં કોઈને ઈજા પહોંચી નથી.  ઈમારતમાં રહેતા લગભગ 15 પરિવારોના રેસ્કયુ કરી તેમના જીવ બચાવવામાં આવ્યાં છે. આગ કયા કરણસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2021 10:39 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK