Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમારું ઍરક્રાફ્ટ વેલ મેઇન્ટેઇન્ડ હતું, એમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતો: VSR એવિયેશન

અમારું ઍરક્રાફ્ટ વેલ મેઇન્ટેઇન્ડ હતું, એમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતો: VSR એવિયેશન

Published : 29 January, 2026 08:39 AM | IST | Baramati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીની એ કંપનીના માલિક વી. કે. સિંહે આ દુર્ઘટના બાદ કહ્યું હતું કે...

બારામતી પ્લેન ક્રેશની ફાઇલ તસવીર

બારામતી પ્લેન ક્રેશની ફાઇલ તસવીર


અજિત પવાર સહિત પાંચ જણનાં મોતની ઘટનામાં જે પ્લેન તૂટી પડ્યું હતું એ લિયરજેટ-45 ઍરોપ્લેન VSR એવિયેશન કંપનીનું હતું. દિલ્હીની એ કંપનીના માલિક વી. કે. સિંહે આ દુર્ઘટના બાદ કહ્યું હતું કે ‘એ ઍરક્રાફ્ટ (પ્લેન) બહુ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતો. પ્લેનમાં કોઈ જ ટે​ક્નિકલ ખામી નહોતી. ત્યાં વિઝિબિલિટી ઓછી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.’

આ જ કંપનીનું અને આ જ મૉડલનું એક પ્લેન ૨૦૨૩માં મુંબઈ ઍરપોર્ટ પર તૂટી પડ્યું હતું. એથી એ મૉડલનું પ્લેન તૂટી પડવાની આ બીજી ઘટના છે. એથી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે તમે એ પ્લેન ઉડાડવાનું બંધ કરી દેશો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ના, એ ક્રાફ્ટ ફિટ જ હતું, એનાં જેવાં બીજાં ઍરક્રાફ્ટ પણ ફિટ જ છે. મારે શા માટે બધાં જ પ્લેન ગ્રાઉન્ડ પર લઈ લેવાં જોઈએ? એ મારું ડિસિઝન ન હોઈ શકે. લિયરજેટ-45ઍરોપ્લેન એ વિશ્વ સ્તરે બહુ જ ભરોસપાત્ર ઍરક્રાફટ ગણાય છે. તો શા માટે અમારે એ ઉડાડવાનું બંધ કરી દેવું જોઈએ?’


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2026 08:39 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK