વહીવટી તંત્રએ ૧૦૦ ટકા કન્ફર્મ કરવા અને કાયદાકીય રીતે એને આધારભૂત કરવા માટે DNA-ટેસ્ટ કરાવી હતી
અજિત પવાર
અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની ઘડિયાળથી નહીં, DNA-વિશ્લેષણ અને તેમણે પહેરેલા કુર્તાના કાપડથી થઈ છે. હવે સામે આવતી બીજી એક ચોંકાવનારી માહિતી એ છે કે અજિત પવાર જે ઘડિયાળ પહેરતા હતા એ તો મળી જ નથી. અગાઉ એવા અહેવાલ હતા કે તેમના ડાબા કાંડા પરની ઘડિયાળે ઓળખ કરવામાં મદદ કરી હતી, પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના ડાબા હાથ પર ઘડિયાળ નહીં પણ તેમના કુર્તાની સ્લીવનો એક ભાગ હતો. બારામતીનાં પોલીસ-સૂત્રોએ દાવો કર્યો છે કે અકસ્માતના સ્થળેથી અજિત પવારની કાંડાઘડિયાળ હજી સુધી નથી મળી. શરૂઆતમાં તેમની ઓળખ તેમના જમણા હાથ પરના કુર્તાના કાપડના આધારે સ્થાપિત કરવામાં આવી હતી. કપડા દ્વારા ઓળખને પ્રાથમિક માનવામાં આવતી હોવાથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ૧૦૦ ટકા કન્ફર્મ કરવા અને કાયદાકીય રીતે એને આધારભૂત કરવા માટે DNA-ટેસ્ટ કરાવી હતી.


