Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાયુતિમાં રાયગડ અને નાશિકના પાલક પ્રધાનના વિવાદ વચ્ચે NCPના સંસદસભ્યે અમિત શાહ સાથે લંચ કર્યું

મહાયુતિમાં રાયગડ અને નાશિકના પાલક પ્રધાનના વિવાદ વચ્ચે NCPના સંસદસભ્યે અમિત શાહ સાથે લંચ કર્યું

Published : 13 April, 2025 10:57 AM | Modified : 14 April, 2025 07:18 AM | IST | Raigad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્તે રાયગડ ગયા હતા

અમિત શાહ અને અન્ય નેતાઓ

અમિત શાહ અને અન્ય નેતાઓ


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્તે રાયગડ ગયા હતા એ સમયે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાયગડના સંસદસભ્ય સુનીલ તટકરેએ તેમના નિવાસસ્થાને લંચનું આયોજન કર્યું હતું. મહાયુતિમાં રાયગડ અને નાશિકના પાલક પ્રધાનની નિયુક્તિ વિશે મતભેદ ચાલી રહ્યા છે ત્યારે લંચ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને એકનાથ શિંદેને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે પાલક પ્રધાન વિશે ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે રાયગડની સુતારવાડીમાં આવેલા ગીતાબાગ ખાતેના સુનીલ તટકરેના નિવાસસ્થાને લંચ થઈ ગયા બાદ સુનીલ તટકરેએ કહ્યું હતું કે અમિત શાહ સાથેના લંચ વખતે કોઈ રાજકીય ચર્ચા કરવામાં નહોતી આવી. આથી અમિત શાહ સાથે પાલક પ્રધાન વિશે કોઈ વાતચીત નહોતી થઈ.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 07:18 AM IST | Raigad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK