Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > “હવે તો ઉઠો અણ્ણા...”: પુણેમાં અણ્ણા હઝારેના વિરોધમાં લાગેલા બૅનરથી તેઓ નારાજ

“હવે તો ઉઠો અણ્ણા...”: પુણેમાં અણ્ણા હઝારેના વિરોધમાં લાગેલા બૅનરથી તેઓ નારાજ

Published : 18 August, 2025 06:07 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અણ્ણાએ કહ્યું, “હવે હું વૃદ્ધ થઈ ગયો છું. શું હું 90 વર્ષનો થઈ જાઉં પછી પણ કામ કરું અને તમારે સૂઈ જવું જોઈએ? જો કોઈ એવી અપેક્ષા રાખે છે, તો તે ખોટું છે. મારા પર આંગળી ચીંધવાને બદલે, આજના યુવાનોએ તે જ કરવું જોઈએ જે હું ભૂતકાળમાં કરતો હતો.”

પુણેમાં લાગેલા પોસ્ટર અને અણ્ણા હઝારે (તસવીર: X)

પુણેમાં લાગેલા પોસ્ટર અને અણ્ણા હઝારે (તસવીર: X)


વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારે તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન માટે જાણીતા છે. જોકે આ દરમિયાન તેમના નામનું એક બૅનર લાગતા તેઓ ચર્ચામાં આવ્યા છે અને તેમણે આ મામલે એક નિવેદન પણ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં અણ્ણા હઝારેના ફોટાવાળું બૅનર લગાવવામાં આવ્યું છે. તેના પર લખવામાં આવ્યું છે કે ‘અણ્ણા હવે તો ઉઠો…! કુંભકર્ણ પણ રાવણ અને લંકા માટે ગાઢ નિંદ્રામાંથી જાગી ગયો હતો... તમારે હવે તમારા દેશ માટે જાગવું જોઈએ...” અણ્ણાને આ દ્વારા દેશમાં ચાલી રહેલા કૌભાડ સામે વિરોધ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, અણ્ણા હઝારે આ બૅનર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. “શું તેઓએ 90 વર્ષની ઉંમરે પણ કામ કરવું જોઈએ?” એવો પ્રશ્ન અણ્ણાએ પૂછ્યો છે.


બૅનર પર શું લખવામાં આવ્યું હતું



"હા, મત ચોરી ગયા છે ભારત મતચોરી વિરુદ્ધ છે. જ્યારે દેશમાં મત ચોરી થઈ રહ્યા છે, જ્યારે દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે, જ્યારે દેશમાં સરમુખત્યારશાહી પસરી છે, જ્યારે દેશની લોકશાહી જોખમમાં છે. અણ્ણા તમારા જેવા વરિષ્ઠ ગાંધીવાદી સમાજસેવક કેવી રીતે શાંત રહી શકે? અણ્ણા, દેશ દિલ્હીના જંતર-મંતર મેદાનમાં ફરીથી તમારો જાદુ જોવા માટે ઉત્સુક છે. આ સાથે બૅનર લગાવનરે પોતાની ઓળખ પણ આપી છે. જેમાં તેણે સમીર બબન ઉત્તરકર (એક ભારતીય નાગરિક જેણે 2011-12માં દિલ્હીમાં અણ્ણા હઝારેના નેતૃત્વમાં આખો દિવસ ટીવી પર વિરોધ જોયો હતો)" એવું લખ્યું છે.


મારા પ્રયત્નોને કારણે 10 કાયદા અસ્તિત્વમાં આવ્યા

પુણેમાં અણ્ણા હઝારેને આ બૅનર વિશે પ્રશ્ન પૂછવામાં આવતા અણ્ણાએ કહ્યું, “મેં અત્યાર સુધી ઘણું કામ કર્યું છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે મેં વિરોધ કર્યો છે. મારા કારણે આ દેશમાં દસ કાયદા પસાર થયા. માહિતી અધિકાર કાયદો મારા કારણે પસાર થયો. દેશમાં ઘણી જાગૃતિ આવી. માહિતી અધિકાર, દસ્તાવેજો ફાઇલ કરવામાં વિલંબ, ટ્રાન્સફર કાયદો, લોકપાલ, લોકાયુક્ત જેવા કાયદા મારા પ્રયાસોને કારણે અસ્તિત્વમાં આવ્યા છે.”


શું મારે 90 વર્ષની ઉંમરે પણ કામ કરવું જોઈએ?

આગળ બોલતા અણ્ણાએ કહ્યું, “હવે હું વૃદ્ધ થઈ ગયો છું. શું હું 90 વર્ષનો થઈ જાઉં પછી પણ કામ કરું અને તમારે સૂઈ જવું જોઈએ? જો કોઈ એવી અપેક્ષા રાખે છે, તો તે ખોટું છે. મારા પર આંગળી ચીંધવાને બદલે, આજના યુવાનોએ તે જ કરવું જોઈએ જે હું ભૂતકાળમાં કરતો હતો,” અણ્ણાએ બૅનર લગાવનારાઓને કહ્યું છે."

યુવાનોએ હવે જાગવું જોઈએ - અણ્ણા હઝારે

યુવાનોને સલાહ આપતા અણ્ણાએ કહ્યું, “મેં અત્યાર સુધી જે કર્યું છે, તે યુવાનોએ હવે કરવું જોઈએ. આ દેશ પ્રત્યે તેમનું કર્તવ્ય છે. કારણ કે તેઓ પણ આ દેશના નાગરિક છે. ફક્ત આંગળી ચીંધીને ‘આ કરો, તે કરો’ કહેવું ખોટું છે. આનાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. યુવાનોએ હવે જાગવું જોઈએ,” અણ્ણા હઝારેએ કહ્યું. દરમિયાન, અણ્ણા હઝારેએ 2012 માં દિલ્હીમાં લોકપાલ બિલ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, ત્યારથી તેઓ વિરોધ પ્રદર્શનોથી દૂર રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2025 06:07 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK