Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવનેરી કિલ્લામાં મધપૂડા પર પથ્થર ફેંકનારા સહેલાણીઓ પર મધમાખીઓએ કર્યો હુમલો

શિવનેરી કિલ્લામાં મધપૂડા પર પથ્થર ફેંકનારા સહેલાણીઓ પર મધમાખીઓએ કર્યો હુમલો

Published : 17 March, 2025 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી જ ઘટના ૧૯ ફેબ્રુઆરીએ શિવજયંતી એ પણ બની હતી. એ ઘટનામાં ૧૦ જેટલા સહેલાણીઓને મધમાખીઓ કરડી હતી.

સહેલાણીઓને મધમાખીઓ કરડી હતી

સહેલાણીઓને મધમાખીઓ કરડી હતી


છત્રપતિ શિવાજી મહારાજનો જ્યાં જન્મ થયો હતો એ જુન્નરના ​શિવનેરી કિલ્લા પર સહેલાણીઓ ગઈ કાલે ફરવા ગયા ત્યારે શિવાઈ મંદિર પાસે મધમાખીઓએ તેમના પર હુમલો કર્યો હતો. એમાં ૫૦થી ૬૦ જેટલા સહેલાણીઓ મધમાખીના ડંખનો ભોગ બન્યા હતા. સહેલાણીઓએ મધમાખીના હુમલાથી બચવા ટી-શર્ટ કે અન્ય કપડાથી શરીર ઢાંકવાના પ્રયાસ કર્યા હતા અને ત્યાંથી ભાગવું પડ્યું હતું.


મધમાખીના ડંખનો ભોગ બનેલા ૫૦ જેટલા લોકોને સારવાર માટે ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. જુન્નરના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર પ્રદીપ ચવાણે કહ્યું હતું કે ‘આઇ-વિટનેસનું કહેવું છે કે યુવાનોના ગ્રુપે મધપૂડા પર પથ્થર મારીને મધમાખીઓને છંછેડતાં એ સહેલાણીઓ પર તૂટી પડી હતી. લગભગ ૬૦ જેટલા લોકોને મધમાખીઓએ ડંખ માર્યો હતો. એમાંથી ૫૦ને હૉસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. નસીબજોગે એમાંથી કોઈને પણ જોખમ ન જણાતાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.’



આવી જ ઘટના ૧૯ ફેબ્રુઆરીએ શિવજયંતી એ પણ બની હતી. એ ઘટનામાં ૧૦ જેટલા સહેલાણીઓને મધમાખીઓ કરડી હતી.   


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK