Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૨૫ લોકોનાં મતદાર-કાર્ડ બનાવવામાં મદદ કરનાર બોરીવલીના આ ભાઈનો પરિવાર જ મત ન આપી શક્યો

૧૨૫ લોકોનાં મતદાર-કાર્ડ બનાવવામાં મદદ કરનાર બોરીવલીના આ ભાઈનો પરિવાર જ મત ન આપી શક્યો

Published : 16 January, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દૌલતનગરમાં મોટા ભાગના પરિવારોના સભ્યોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ

ભરતભાઈ અને તેમના ફૅમિલી-મેમ્બરનાં મતદાર-કાર્ડ અને અગાઉની ચૂંટણીઓમાં મત આપ્યાની  રસીદ.

ભરતભાઈ અને તેમના ફૅમિલી-મેમ્બરનાં મતદાર-કાર્ડ અને અગાઉની ચૂંટણીઓમાં મત આપ્યાની રસીદ.


બોરીવલી-ઈસ્ટના દૌલતનગરમાં રહેતા ભરત ઉપાધ્યાયના આખા પરિવારનું નામ મતદારયાદીમાં નહોતું એટલું જ નહીં, તેમના વિસ્તારમાં મોટા ભાગના પરિવારોની આ જ સમસ્યા હતી. તેમની બાજુના નવનિધાન બિલ્ડિંગના ૭૫ ટકા પરિવારોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ હતાં. આ બધા જ પરિવારોના સભ્યો બેથી ત્રણ કલાક મતદાન-બૂથ પર જઈ, પોતાનાં નામ શોધવાના નિષ્ફળ પ્રયત્નો કરીને પાછા ફર્યા હતા.

ભરત ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક ચૂંટણીમાં અમે એક જવાબદાર નાગરિક તરીકે મત આપ્યો છે. મતદાર-કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવો હોય કે ૧૮ વર્ષના થતાં કેવી રીતે મતદાર-કાર્ડ કઢાવવું એની માહિતી આપીને મદદ કરીને મેં ૧૨૫ જેટલા લોકોનાં કાર્ડ બનાવડાવ્યાં છે, જેથી એ લોકો પણ મત આપવાનું મહત્ત્વ સમજે અને આજે મારા પરિવારના પાંચ સભ્યોનાં નામ જ ગાયબ છે.’



સ્લિપમાં નામ ન આવતાં બે દિવસથી ઑનલાઇન અને ઑફલાઇન પોતાનું નામ શોધવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં છેવટે ભરતભાઈ વોટ આપી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘પોલિંગ-બૂથ પર મારું મતદાર-કાર્ડ, અગાઉ વોટ આપ્યાની સ્લિપ બધું જ બતાવ્યું, પણ તેમની પાસે કોઈ જ જવાબ નહોતો. ઊલટાનું અધિકારીઓએ કહ્યું કે એમ તો અહીં મોબાઇલ વાપરી ન શકાય, પણ જો ઍપ પર તમારું નામ મળતું હોય તો શોધો અને બીજાનાં નામ પણ શોધવાનો પ્રયત્ન કરો; બાકી અમારી પાસે આ લિસ્ટ છે એ સિવાયની કોઈ મદદ અમે નહીં કરી શકીએ.’


ભરતભાઈના જણાવવા મુજબ પોલિંગ-બૂથ પર આવતા મોટા ભાગના લોકોની ફરિયાદ હતી કે તેમના પરિવારમાંથી અમુક લોકોનાં નામ યાદીમાં અગાઉ હતાં, પણ આ ચૂંટણીમાં ગાયબ થઈ ગયાં છે. ચીફ ઇલેક્શન-કમિશનર સુધી પોતાની વાત રજૂ કરવાનું જણાવતાં ભરતભાઈએ કહ્યું હતું કે મારો નૈતિક અધિકાર મારી પાસેથી છીનવાયો છે એટલે હું બનતા બધા જ પ્રયત્નો કરીને લેખિતમાં જવાબ મેળવીને જ રહીશ.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK