Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑનલાઇન મતદારયાદીમાં નામ હોવા છતાં ઘાટકોપરનાં સરોજ દેસાઈ મતદાન ન કરી શક્યાં

ઑનલાઇન મતદારયાદીમાં નામ હોવા છતાં ઘાટકોપરનાં સરોજ દેસાઈ મતદાન ન કરી શક્યાં

Published : 16 January, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ જવાથી હું મતદાન કરી શકી નહોતી એમ સરોજ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું

સરોજ દેસાઈ અને તેમનું વોટિંગ કાર્ડ.

સરોજ દેસાઈ અને તેમનું વોટિંગ કાર્ડ.


ઘાટકોપર-વેસ્ટના અમૃતનગરમાંથી છ મહિના પહેલાં LBS માર્ગ પરના કલ્પતરુ ઑરા કૉમ્પ્લેક્સમાં આવેલાં ૭૦ વર્ષનાં સરોજ દેસાઈ તેમનું નામ ચૂંટણી આયોગની ઑનલાઇન મતદારયાદીમાં નોંધાઈ ગયા પછી પણ ગઈ કાલે મતદાન કરી શક્યાં નહોતાં. સરોજબહેન મતદાન કરવા ખૂબ જ ઉત્સાહી હતાં, પણ અનેક પ્રયાસો પછીયે તેમને મતદાન કરવા ન મળતાં એકદમ નિરાશ થઈ ગયાં હતાં. 

ઘર બદલ્યા પછી મારા પરિવારમાં મારા પુત્ર વિપુલ, મારી પુત્રવધૂ સેજલને મતદાન કરવા મળ્યું, મારું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ જવાથી હું મતદાન કરી શકી નહોતી એમ જણાવીને સરોજ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કલ્પતરુ ઑરામાં રહેવા આવ્યા એ દિવસથી મેં મારું નામ નવા સરનામા સાથે મતદારયાદીમાં નોંધાય એ માટે મહેનત શરૂ કરી હતી. પહેલાં તો અમે એ માટે પંતનગરની ચૂંટણી કચેરીમાં ગયાં હતાં, પરંતુ ત્યાંની પ્રક્રિયા થોડી જટિલ લાગતાં મારા પુત્રને એક રહેવાસીએ ઑનલાઇન નોંધણી કરવાની સલાહ આપી હતી. આથી અમે ઑનલાઇન નોંધણી કરી, પરંતુ અરજી ૬ વખત નામંજૂર થઈ. ત્યાર બાદ મારી પુત્રવધૂ સેજલે સતત ફૉલોઅપ કર્યા બાદ અંતે મારું નામ મતદારયાદીમાં દાખલ થયું હતું.’



સરોજબહેને વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘મારું નામ મતદારયાદીમાં નોંધાઈ જવાથી મને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત આપવા મળશે એની ખુશી હતી. મારું નામ ચૂંટણી આયોગની વેબસાઇટ પર પણ નોંધાયા તરીકે દર્શાવતું હતું. જોકે ગઈ કાલે મારું નામ મતદારયાદીમાં નહોતું. આ માટે અમે અમારા મતદાનમથક પર તપાસ કરી તો જાણકારી મળી કે કેટલાય લોકોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ છે એટલે તેમને મતદાન કરવાની પરવાનગી નથી. નવાઈની વાત એ છે કે થોડા સમય પહેલાં જ મળેલા ઇલેક્શન કાર્ડમાં મને ઑનલાઇન વિભાગ-નંબર તથા સિરિયલ-નંબર સ્પષ્ટ દેખાય છે. મેં અને મારા પુત્રએ ચૂંટણી-અધિકારીઓને ઘણી વિનંતી કરી અને ઘણા પ્રયત્નો કર્યા પછી અંતે મેં હાર માની લીધી હતી. મતદાર હેલ્પલાઇન-નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કર્યો, પરંતુ એ લાઇન પણ વ્યસ્ત હતી.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK