Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭ મેએ મુંબઈ ઍરપોર્ટના બન્ને રનવે ૬ કલાક માટે બંધ રહેશે

૭ મેએ મુંબઈ ઍરપોર્ટના બન્ને રનવે ૬ કલાક માટે બંધ રહેશે

Published : 21 April, 2026 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોમાસા પહેલાંના ઍન્યુઅલ મેઇન્ટેનન્સ માટે પ્રાઇમરી ને સેકન્ડરી રનવે બંધ રાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચોમાસા દરમ્યાન વિમાનનું સુરક્ષિત લૅન્ડિંગ અને ટેક-ઑફ થાય એ માટે મુંબઈ ઍરપોર્ટ દ્વારા ૭ મેએ ઍરપોર્ટના બન્ને રનવે મેઇન્ટેનન્સ માટે સવારના ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી એમ સતત ૬ કલાક માટે બંધ રાખવામાં આવશે.

આ સમારકામ અંગેની જાણકારી તમામ ઍરલાઇન્સ અને સ્ટેકહોલ્ડર્સને છ મહિના અગાઉ જ આપી દેવામાં આવી હતી જેથી ઍરલાઇન્સ એમની ફ્લાઇટ્સના સમયમાં જરૂરી ફેરફાર કરી શકે અને મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકીનો સામનો ન કરવો પડે. ૭ મેએ પ્રાઇમરી રનવે 09/27 અને સેકન્ડરી રનવે 14/32 બન્ને કાર્યરત રહેશે નહીં.



મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ૭ મેએ મુસાફરી કરતાં પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સંબંધિત ઍરલાઇન પાસેથી જાણી લે. આ મેઇન્ટેનન્સ પૂરું થયા બાદ સાંજે પાંચ વાગ્યાથી ઍરપોર્ટ પર વિમાનોની અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK