Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકના ખાડાવાળા રસ્તાના કારણે પાંચ જણે જીવ ગુમાવ્યા, છગન ભુજબળ તપ્યા

નાશિકના ખાડાવાળા રસ્તાના કારણે પાંચ જણે જીવ ગુમાવ્યા, છગન ભુજબળ તપ્યા

Published : 01 August, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રશાસનની ટીકા કરીને પ્રધાનમંડળની બેઠકમાં મુદ્દો ઉઠાવવાની તૈયારી

છગન ભુજબળ

છગન ભુજબળ


નાશિકમાં રસ્તાઓની બિસમાર હાલત અને ખાડાઓના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ટીકા કરીને મહારાષ્ટ્રના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે પ્રશાસનને આ મુદ્દો પ્રધાનમંડળની બેઠકમાં ઉઠાવશે એમ કહ્યું હતું. નાશિકમાં રસ્તાઓની દયનીય અવસ્થાના કારણે થયેલા અકસ્માતોમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. આ વિશે છગન ભુજબળે પોતાની નારાજગી વ્યક્ત કરતાં ઉક્ત નિવેદન આપ્યું હતું. કુંભમેળાની તૈયારીઓ ચાલી રહી હોય અે દરમ્યાન યોગ્ય યોજનાનો અભાવ હોવાનું કહી તેમણે પ્રશાસનની ટીકા કરી હતી.

છગન ભુજબળે કહ્યું હતું કે ‘બધે જ ખાડાઓના સમાચાર છે. હાલમાં જ નાશિકમાં ખાડાથી બચવાનો પ્રયાસ કરતાં બાઇક ચલાવી રહેલા નીલેશ કોતકરનું ખાડાના કારણે મૃત્યુ થયું હતું. કુંભમેળાનું કામ શરૂ છે. નિયમ એવો છે કે એક બાજુનો રસ્તો તૈયાર થાય તો બીજી બાજુનો રસ્તો ખાડામુક્ત હોવો જોઈએ. તાત્કાલિક બીજી બાજુના રસ્તાઓ પરના ખાડા પૂરી નાખવા જોઈએ. આ બાબતે કુંભમેળાના કમિશનર અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે ધ્યાન આપવું જોઈએ. મેયર કે વિધાનસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા નથી. કુંભમેળાના પ્રધાન ગિરીશ મહાજને આ વિશે કંઈક કરવું જોઈએ. આ બધી જ વાત હું પ્રધાનમંડળની બેઠકમાં માંડીશ. આટલા ખાડાઓ નાશિકમાં ક્યારેય નહોતા. નાશિકનું નામ ખરાબ થાય છે. ખાડાના કારણે જેમનાં મૃત્યુ થયાં તેમને ૧૦ લાખ રૂપિયાની સહાય પણ આપવી જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK