Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાવતરાના નામે કાવતરું

કાવતરાના નામે કાવતરું

28 October, 2021 08:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનસીબીની આર્યન કેસમાં કાવતરાની થિયરી જ જામીન ન આપવા માટેનું કાવતરું છે?

સમીર વાનખેડેની પૂછપરછ માટે મુંબઈ આવેલી એનસીબીની ટીમ.  સમીર માર્કન્ડે

સમીર વાનખેડેની પૂછપરછ માટે મુંબઈ આવેલી એનસીબીની ટીમ. સમીર માર્કન્ડે


આર્યન ખાનને આજે જામીન મળે છે કે નહીં એના પર બધાની નજર છે ત્યારે એનસીબી તરફથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવામાં આવ્યું એ એક મોટા કાવતરાનો ભાગ છે એવું કહેવામાં આવ્યું છે અને એટલા માટે જ જ્યાં સુધી આ આખા કાવતરાનો પર્દાફાશ ન થાય ત્યાં સુધી આરોપીઓને જામીન ન મળવા જોઈએ એવું નીચલી અદાલતમાં કહેવામાં આવ્યું હતું. જોકે ગઈ કાલે બચાવ પક્ષના વકીલોની પૂરી થયેલી દલીલમાં તેમણે એનસીબીની આ થિયરીને જ જામીન ન આપવા માટેનું એક કાવતરું હોવાનું કહ્યું હતું. તેમનું કહેવું છે કે આ અમારા અસીલ વચ્ચે ભેગા મળીને કોઈ મીટિંગ સુધ્ધાં નથી થઈ તો એ કાવતરાનો એક ભાગ કઈ રીતે હોઈ શકે? 
દરમ્યાન, ગઈ કાલે એનસીબીની એક ટીમ સમીર વાનખેડેની સામેના આરોપોની તપાસ કરવા મુંબઈ આવી પહોંચી હતી. આ ટીમ કે. પી. ગોસાવી અને જગદીશ સાઇલની પણ પૂછપરછ કરવાની છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK