Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકાર પચીસ રૂપિયે કિલોના ભાવે ખેડૂતો પાસેથી કાંદા ખરીદે

સરકાર પચીસ રૂપિયે કિલોના ભાવે ખેડૂતો પાસેથી કાંદા ખરીદે

Published : 19 May, 2026 09:29 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેડૂતો સાથે વિરોધ-પ્રદર્શનમાં જોડાયેલા રોહિત પવારની માગણી: લાસલગાવમાં કાંદાનો પાક લેનારા ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી પણ કાઢી

નાશિકના લાસલગાવમાં ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી કાઢીને વિરોધ-પ્રદર્શન કર્યું એમાં રોહિત પવારે પણ ભાગ લીધો હતો.

નાશિકના લાસલગાવમાં ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી કાઢીને વિરોધ-પ્રદર્શન કર્યું એમાં રોહિત પવારે પણ ભાગ લીધો હતો.


કાંદાના ઓછા ભાવને કારણે અસંતોષ અનુભવતા ખેડૂતોએ નાશિકના લાસલગાવમાં વિરોધ-પ્રદર્શન કરીને ટ્રૅક્ટર રૅલી કાઢી હતી, જેમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પણ જોડાયા હતા. રોહિત પવારે ખેડૂતો પાસેથી સરકાર પચીસ રૂપિયે પ્રતિ કિલોના ભાવે કાંદા ખરીદે અને ઓછા ભાવે પાક વેચનારા ખેડૂતોને વળતર ચૂકવે એવી માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો પાસેથી સરકાર ૧૨.૩૫ રૂપિયે પ્રતિ કિલોના ભાવે કાંદા ખરીદશે એવી જાહેરાત કરી હતી. જોકે રોહિત પવારનું કહેવું છે કે કાંદાનો પાક લેવા પાછળ ખેડૂતોને પ્રતિ કિલો ૧૭થી ૨૦ રૂપિયાનો ખર્ચ આવે છે ત્યારે તેમને પ્રતિ કિલો કાંદાના ૧૨.૩૫ રૂપિયા ચૂકવવા એ અન્યાય છે.

આ ઉપરાંત જે ખેડૂતો પહેલાં જ ઓછી કિંમતે પોતાનો પાક વેચી ચૂક્યા છે તેમને સરકાર ૧૫થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો સબસિડી ચૂકવે એવી માગણી પણ રોહિત પવારે કરી હતી. લાસલગાવ ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ખાતે યોજાયેલા આ વિરોધ-પ્રદર્શનમાં ખેડૂતોએ ભાખરી અને કાંદા ખાઈને વિરોધ દર્શાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 09:29 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK