રાજ્યમાં સિનેમાઘરો અને થિયેટર્સને આરોગ્યના નિયમોનું પાલન કરીને 22 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ફિલ્મ ઉદ્યોગના ટોચના સરકારી અધિકારીઓ અને સભ્યો સાથે બેઠક યોજી હતી અને જાહેરાત કરી હતી કે રાજ્યના સિનેમાઘરો અને થિયેટર્સને આરોગ્યના નિયમોનું પાલન કરીને 22 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે વિગતવાર એસઓપી તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે 4 ઓક્ટોબરથી શાળાઓ અને 7 ઓક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ યોજેલી કોવિડ -19 ટાસ્ક ફોર્સની બેઠકમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, ફિલ્મ નિર્માતાઓ રોહિત શેટ્ટી અને કુણાલ કપૂર, થિયેટર વ્યક્તિત્વ મકરંદ દેશપાંડે, મરાઠી અભિનેતા સુબોધ ભાવે, આદેશ બાંડેકર સહિતના લોકો હાજર રહ્યાં હતાં.
राज्यातील चित्रपटगृहे आणि नाट्यगृहे २२ ऑक्टोबरनंतर आरोग्याचे नियम पाळून खुली करण्यास परवानगी देण्यात येईल असे मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांनी घोषित केले आहे. यासंदर्भात सविस्तर कार्य पद्धती एसओपी तयार करण्याचे काम सुरू असून ती लवकरच जाहीर करण्यात येईल.
— CMO Maharashtra (@CMOMaharashtra) September 25, 2021
શુક્રવારે રાજ્ય સરકારે 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી અને કોરોનાવાયરસ સંબંધિત પ્રોટોકોલનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે ભક્તો અને ઉપાસના સ્થળોનું સંચાલન કરતા અધિકારીઓ માટે એસઓપી જારી કર્યું હતું.
આ સાથે જ સરકારે એ પણ જાહેરાત કરી હતી કે રાજ્યભરમાં 4 ઓક્ટોબરથી શાળાઓમાં ભૌતિક વર્ગો ફરી શરૂ થશે. ગ્રામીણ વિસ્તારોની તમામ શાળાઓમાં 5 થી 12 અને શહેરી વિસ્તારોમાં 8 થી 12 ના વર્ગો ફરી શરૂ થશે.
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શુક્રવારે 3,286 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા હતા અને 51 મૃત્યુ નોંધાયા છે. ત્યાર બાદ રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો 65,37,843 પર પહોંચ્યો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 1,38,776 થઈ છે. 3,933 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં, સાજા થયેલા કેસોની સંખ્યા વધીને 63,57,012 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં હવે 39,491 સક્રિય કેસ છે.