Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbaiની 72 મસ્જિદોમાં ગેરકાયદેસર લાઉડસ્પીકર વિરુદ્ધ ફરિયાદ, RTIમાં ખુલાસો

Mumbaiની 72 મસ્જિદોમાં ગેરકાયદેસર લાઉડસ્પીકર વિરુદ્ધ ફરિયાદ, RTIમાં ખુલાસો

Published : 07 April, 2025 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આરટીઆઈ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગોવંડીની 72 મસ્જિદોમાં ગેરકાયદેસર રીકે લાઉડસ્પીકરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ભાજપા નેતા મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘુસણખોરોના આવવાની વિરુદ્ધમાં પણ મોખરે છે.

કિરીટ સોમૈયા (ફાઈલ તસવીર)

કિરીટ સોમૈયા (ફાઈલ તસવીર)


છેલ્લા કેટલાક મહિનાથી કિરીટ સોમૈયા આ મામલો ઉઠાવી રહ્યા છે. પણ તેમણે ધાર્મિક પરિસરરોમાં ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ પોતાનો અભિયાન ચાલુ રાખ્યો છે. આરટીઆઈ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગોવંડીની 72 મસ્જિદોમાં ગેરકાયદેસર રીકે લાઉડસ્પીકરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ભાજપા નેતા મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘુસણખોરોના આવવાની વિરુદ્ધમાં પણ મોખરે છે.


ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પૂર્વ મુંબઈની 72 મસ્જિદોમાં ચાલતા ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે મુંબઈના માનખુર્દ ગોવંડી ઉપનગરમાં પ્રતિબંધિત લાઉડસ્પીકર્સનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે.



રવિવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ શનિવારે ગોવંડીના શિવાજીનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ફરિયાદ નોંધાવી હતી. RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, ગોવંડીની 72 મસ્જિદોમાં ગેરકાયદેસર રીતે લાઉડસ્પીકર ચલાવવામાં આવી રહ્યા છે.


કિરીટ સોમૈયા સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે
અધિકારીઓને પોલીસની મંજૂરી વિના તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. કિરીટ સોમૈયા છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. પરંતુ તેમણે ધાર્મિક પરિસરમાં ધ્વનિ પ્રદૂષણ સામેનું પોતાનું અભિયાન ચાલુ રાખ્યું છે.

આ સમસ્યાથી આસપાસ રહેતા લોકો પરેશાન હોવાથી, કિરીટ સોમૈયાએ શિવાજીનગર પોલીસ સ્ટેશન અને આસપાસની વસાહતોમાં ગેરકાયદેસર લાઉડસ્પીકર વગાડવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ ભાજપ નેતા મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના આગમન સામે પણ ખૂબ જ અવાજ ઉઠાવે છે.


તેમણે કહ્યું કે રાજ્યમાં અકોલાથી લાતુર સુધી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની હાજરી ચિંતાનો વિષય છે. આ ઘુસણખોરો ભારતમાં પ્રવેશતાની સાથે જ નકલી જન્મ પ્રમાણપત્રો દ્વારા નકલી આધાર કાર્ડ અને અન્ય નકલી દસ્તાવેજો મેળવી લે છે.

ઉલ્લેખનીય છે કે, ભાંડુપ-વેસ્ટમાં આવેલી ભાંડુપ ગ્રેટ ઈસ્ટર્ન હાઉસિંગ સોસાયટીના ગ્રાઉન્ડ, પરિસર, ફુટપાથ અને બાજુમાં આવેલા રસ્તામાં નમાજ પઢવામાં આવે છે. આનાથી સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી થઈ રહી હોવાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ગઈ કાલે આ વિસ્તારની મુલાકાત કરી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા મસ્જિદના નામે લૅન્ડ જેહાદ કરવાની સાથે ગેરકાયદે લાઉડ સ્પીકર વગાડીને નમાજ પઢવામાં આવતી હોવાથી એની સામે કાર્યવાહી કરવાની તેમણે પોલીસ સમક્ષ માગણી કરી હત‌ી. ગઈ કાલે શુક્રવાર હતો ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમો નમાજ પઢવા પહોંચ્યા હતા. ત્યારે કોઈ ગરબડ ન થાય એ માટે મસ્જિદની આસપાસ ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગોરેગામ-ઈસ્ટમાં ફિલ્મસિટી રોડ પર સુવિધા શૌચાલયની પાછળ કુબા ફૈઝાન-એ-રઝા નામના ટ્રસ્ટની મસ્જિદ આવેલી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ન‌ી જગ્યામાં આ મસ્જિદની બાજુના મોબાઇલના ટાવરમાં ૮ લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે. આ લાઉડસ્પીકરમાંથી દિવસમાં પાંચ વખત મોટા અવાજે આઝાન કરવામાં આવતી હોવાનું જાણ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ આ મસ્જિદની પોલીસ અને BMCના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK