Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિસર્જન માટે ડો​​મ્બિવલીનો માણકોલી બ્રિજ ચાર દિવસ બંધ રહેશે

વિસર્જન માટે ડો​​મ્બિવલીનો માણકોલી બ્રિજ ચાર દિવસ બંધ રહેશે

Published : 27 August, 2025 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણપતિની મૂર્તિઓના વિસર્જન નિમિત્તે ડો​મ્બિવલીના મોઠાગામમાં આવેલા માણકોલી ફ્લાયઓવરને ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગણપતિની મૂર્તિઓના વિસર્જન નિમિત્તે ડો​મ્બિવલીના મોઠાગામમાં આવેલા માણકોલી ફ્લાયઓવરને ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર પંકજ શિરસાટે આપેલી માહિતી મુજબ ૨૮ અને ૩૧ ઑગસ્ટ તેમ જ બીજી અને ૬ઠ્ઠી સપ્ટેમ્બરે વિસર્જન નિ​િમત્તે માણકોલી બ્રિજ બંધ રાખવામાં આવશે. વર્ષોથી રેતી બંદરની ખાડીમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. એથી દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને અનંત ચતુર્દશીના દિવસે આ વિસ્તારમાં ભારે ભીડ જામે છે. ભાવિકોને વિસર્જન માટે જવામાં તકલીફ ન પડે એ માટે થાણે, મુંબઈથી આવતાં વાહનો અંજુર ફાટા-ભિવંડી બાયપાસ રોડ થઈને આગળ વધી શકશે. કલ્યાણ, અંબરનાથ, બદલાપુર, નવી મુંબઈ, ઠાકુર્લી અને ડો​મ્બિવલી તરફથી આવતાં વાહનો દુર્ગાડી અને ગાંધાર બ્રિજનો રસ્તો લઈ શકશે. ડો​મ્બિવલીથી રેતીબંદર રેલવે ગેટ થઈને આવતાં વાહનો દુર્ગાડી ચોકનો વૈકલ્પિક રસ્તો વાપરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK