Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે બદલાપુરથી નવી મુંબઈ ૩૦ મિનિટમાં પહોંચી શકાશે

હવે બદલાપુરથી નવી મુંબઈ ૩૦ મિનિટમાં પહોંચી શકાશે

Published : 12 April, 2025 09:19 AM | Modified : 13 April, 2025 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બદલાપુર અને વાંગણી સ્ટેશન વચ્ચે કાસગાવ નામનું નવું રેલવે સ્ટેશન બનવાનું હોવાથી ત્યાંથી સીધું નવી મુંબઈ પહોંચી શકાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રેલવે પ્રશાસને સેન્ટ્રલ રેલવેમાં કાસગાવ, મોરબે અને માનસરોવર વચ્ચે નવો રેલવે-રૂટ બાંધવા માટેની મંજૂરી આપી દીધી છે. એ માટેનું સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવા રેલવે-રૂટથી બદલાપુર અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ૩૦ મિનિટનું થઈ જશે. બદલાપુર અને વાંગણી સ્ટેશનો વચ્ચે કાસગાવ નામનું નવું રેલવે-સ્ટેશન બનાવવામાં આવશે એથી બદલાપુર અને આસપાસના લોકો નવી મુંબઈ જવા માટે થાણેને બદલે કાસગાવથી સીધા નવી મુંબઈ પહોંચી શકશે.


બદલાપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો કામકાજ માટે દરરોજ નવી મુંબઈનો પ્રવાસ કરે છે. તેમણે એ માટે બદલાપુરથી થાણે અને થાણેથી નવી મુંબઈ જવું પડે છે જેમાં વધુ સમય વેડફાય છે. બદલાપુરથી નવી મુંબઈ જવા માટે સુધરાઈની બસો ચાલે છે, પણ શિળફાટા અને તળોજામાં ભારે ટ્રાફિક જૅમ થવાથી દોઢેક કલાક જેટલો સમય લાગી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK