મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે આયોજિત નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.
ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં આયોજિત નારી શક્તિ વંદન સંમેલનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહિલાઓ. આ કાર્યક્રમમાં રવીના ટંડન પણ હાજર હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને પહેલને કારણે દેશમાં કરોડો મહિલાઓ લખપતિ દીદી બની છે. દાદરના યોગી સભાગૃહમાં નારી શક્તિ વિચાર મંચ દ્વારા મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે આયોજિત નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.
મુખ્ય પ્રધાને અગાઉની સરકારો પર પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને સતત સમર્થન આપ્યું છે, જ્યારે ભૂતકાળમાં તક હોવા છતાં એને પસાર કરવામાં આવ્યું નહોતું.
