Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સામાન્ય પરિવારના લીડરશિપની ક્વૉલિટી અને કૅપેસિટી ધરાવતા લોકોને પણ આગળ આવવાની તક મળવી જોઈએ : શરદ પવાર

સામાન્ય પરિવારના લીડરશિપની ક્વૉલિટી અને કૅપેસિટી ધરાવતા લોકોને પણ આગળ આવવાની તક મળવી જોઈએ : શરદ પવાર

Published : 15 December, 2025 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે કહ્યું હતું કે ફેલોશિપ કાર્યક્રમ મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણના જીવન અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

શરદ પવાર

શરદ પવાર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે પ્રતિભા અને નેતૃત્વ ફક્ત વિશેષાધિકાર ધરાવતા લોકો સુધી જ મર્યાદિત નથી. તેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સામાન્ય પરિવારોમાંથી સક્ષમ વ્યક્તિઓને ઓળખવાની અને તેમને ટેકો આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

યશવંતરાવ ચવાણ સેન્ટર ખાતે આયોજિત શરદ પવાર ઇન્સ્પાયર ફેલોશિપ અવૉર્ડ સમારોહમાં બોલતાં તેમણે કહ્યું હતું કે ફેલોશિપ કાર્યક્રમ મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણના જીવન અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.



સામાન્ય લોકોમાં પણ એવી લીડરશિપ ક્વૉલિટી હોય છે એમ જણાવતાં શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘ઘણા લોકો જીવનમાં સફળ થાય છે કારણ કે તેમની પાસે મજબૂત બૅકગ્રાઉન્ડ હોય છે અને તેમને ઘણા લોકો સપોર્ટ કરનારા હોય છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમની પાસે આવા સપોર્ટનો અભાવ હોય છે છતાં તેમનામાં સમાજ માટે કામ કરવાની ક્ષમતા, અભિગમ અને લીડરશિપની ક્વૉલિટી હોય છે. તેમને તક અને પ્રોત્સાહન આપવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK