પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે પ્રેશરને કારણે પાણીની ટાંકીની દીવાલ તૂટી ગઈ હશે
તસવીર સૌજન્ય : એજન્સી
પિંપરીના ભોસરીમાં કામચલાઉ ઊભી કરાયેલી પાણીની ટાંકી તૂટી પડતાં એની નીચે નાહી રહેલા પાંચ કામદારોનાં મોત થયાં હતાં, જ્યારે બીજા પાંચ કામદારો ઘાયલ થયા હતા. એ ટાંકી તૂટી પડતાં એના કાટમાળ હેઠળ દબાઈને ત્રણ કામદારોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બે કામદારોનાં હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં.
પિંપરી-ચિંચવડના ઍડિશનલ પોલીસ-કમિશનર વસંત પરદેશીએ કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે પ્રેશરને કારણે પાણીની ટાંકીની દીવાલ તૂટી ગઈ હશે અને ટાંકી તૂટી પડી હશે. એ ટાંકી કોણે ઊભી કરી એ બાબતે હવે તપાસ ચલાવાઈ રહી છે.