Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં બુધવારે પાણી નહીં આવે અને ગુરુવારે પ્રેશર લો રહેશે

નવી મુંબઈમાં બુધવારે પાણી નહીં આવે અને ગુરુવારે પ્રેશર લો રહેશે

Published : 12 May, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩ મેએ શહેરના ઘણા ભાગોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ મેઇન્ટેનન્સ અને ચોમાસા પહેલાં પાણીની પાઇપલાઇનના સમારકામની જાહેરાત કરી છે એને કારણે ૧૩ મેએ શહેરના ઘણા ભાગોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે. ૨૪ કલાકના કાપ પછી પણ ઓછા પ્રેશર સાથે પાણી છોડવામા આવશે. NMMCએ જણાવ્યું હતું કે બુધવારે ૧૩ મેએ સવારે ૧૦ વાગ્યાથી ૧૪ મેએ સવારે ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ૧૪ મેએ સાંજે ઓછા પ્રેશર સાથે પાણીની સપ્લાય થઈ શકશે.

આ કામને લીધે બેલાપુર, નેરુળ, વાશી, તુર્ભે, સાનપાડા, કોપરખૈરણે, ઘનસોલી, ઐરોલી, ખારઘર અને કામોઠે સહિતના વિસ્તારોમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK