Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેને બર્થ-ડે પર ૨૭,૦૦૦ હીરામાંથી બનેલું બાળાસાહેબનું પોર્ટ્રેટ ગિફ્ટમાં મળ્યું

ઉદ્ધવ ઠાકરેને બર્થ-ડે પર ૨૭,૦૦૦ હીરામાંથી બનેલું બાળાસાહેબનું પોર્ટ્રેટ ગિફ્ટમાં મળ્યું

27 July, 2024 10:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળાસાહેબનું સ્મારક બની રહ્યું છે એમાં આ પોર્ટ્રેટ મૂકવામાં આવશે.’

બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને ભેટ આપવામાં આવ્યું હતું.

બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને ભેટ આપવામાં આવ્યું હતું.


ઉદ્ધવ ઠાકરેનો આજે બર્થ-ડે છે ત્યારે કાર્યકરોએ તેમને ગઈ કાલે ૨૭,૦૦૦ ડાયમન્ડમાંથી બનાવવામાં આવેલું બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ ભેટ આપ્યું હતું. આ પોર્ટ્રેટ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રવક્તા અને જનસંપર્ક પ્રમુખ હર્ષલ પ્રધાન અને તેમની ટીમે તૈયાર કરાવડાવ્યું છે. હર્ષલ પ્રધાને આ વિશે કહ્યું હતું કે ‘ઉદ્ધવસાહેબના જન્મદિવસે કંઈક અલગ ભેટ આપવાનો વિચાર આવ્યા બાદ રાજ્યના નિષ્ઠાવાન શિવસૈનિકો દ્વરા ૨૭,૦૦૦ ડાયમન્ડનું પોર્ટ્રેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાણીતા આર્ટિસ્ટ શૈલેશ આચરેકરે આ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ પોર્ટ્રેટ તૈયાર થઈ ગયું હતું એટલે અમે ઉદ્ધવસાહેબને માતોશ્રીમાં ગિફ્ટ આપ્યું હતું. પોર્ટ્રેટ જોઈને તેઓ પણ ખુશ થઈ ગયા હતા. બાળાસાહેબનું સ્મારક બની રહ્યું છે એમાં આ પોર્ટ્રેટ મૂકવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK