લેન્ડિંગ પછી, બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-887 માં 335 ક્રૂ અને મુસાફરો સવાર હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દિલ્હીથી મુંબઈ જતી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ સમસ્યાને કારણે દિલ્હી પરત ફરી હતી. વિમાનનું ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર સલામત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. આ ઘટના સોમવારે બની હતી. મુંબઈ જતી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI-887 (બોઈંગ 777-300ER) ટેકનિકલ સમસ્યાને કારણે દિલ્હી પરત ફરવી પડી હતી. વિમાનનું ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર સવારે 7:47 વાગ્યે સલામત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભર્યા પછી, વિમાનના એન્જિન નંબર 2 માં તેલનું દબાણ શૂન્ય થઈ ગયું, જેના કારણે પાઈલટે દિલ્હીમાં અધિકારીઓનો સંપર્ક કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. ઈમરજન્સી માહિતી મળતાં, ઍરપોર્ટ સ્ટાફે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. હવામાં થોડા સમય માટે રોકાયા પછી, વિમાન સુરક્ષિત રીતે ઍરપોર્ટ પર ઉતર્યું. અચાનક દિલ્હી પરત ફરવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો.
વિમાનમાં 335 લોકો સવાર હતા
ADVERTISEMENT
લેન્ડિંગ પછી, બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-887 માં 335 ક્રૂ અને મુસાફરો સવાર હતા.
ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
ફાયર કંટ્રોલ રૂમના અધિકારીઓએ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "વિમાનમાં કુલ 335 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. સાવચેતી રૂપે, વિમાનને દિલ્હી પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેન્ડિંગ પછી, બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા." વિમાનનું હાલમાં ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે. જોકે, ઍર ઇન્ડિયા દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
ઍરલાઈને શું કહ્યું?
ઍર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર દિલ્હીમાં ઉતર્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેમને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિલ્હીમાં વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ અંગે ફાયર કંટ્રોલ રૂમ તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે વિમાનમાં કુલ 337 મુસાફરો હતા, જેમાં કેટલાક ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. સાવચેતી રૂપે, વિમાનને દિલ્હી પરત લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને ખાલી કરાવવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ દિલ્હી ફ્લાઇટ IX 1223 માં કુલ 167 મુસાફરો હતા. તેમાં વારાણસીનું એક દંપતી પણ તેમના આઠ મહિનાના બાળક અથર્વ સાથે ફ્લાઇટમાં સવાર હતું. વિમાન સવારે 9:55 વાગ્યે નિર્ધારિત સમયે રનવે પરથી ઉડાન ભરવાનું હતું. આ દરમિયાન વિમાનના જોરદાર અવાજને કારણે અથર્વ જોરથી રડવા લાગ્યો. પરિવારના સભ્યો પણ ડરી ગયા અને બાળકની છાતીમાં દુખાવો હોવાનું જણાવી ક્રૂ મેમ્બર્સને વિમાન પાછું લાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. ક્રૂ મેમ્બરસે આ અંગે પાઈલટ્સને જાણ કરી. પાઈલટે ઍર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને ઍરલાઇન અધિકારીઓને જાણ કરી. ATCના નિર્દેશ પર, વિમાનને રનવે પરથી એપ્રોન પર પાછું લાવવામાં આવ્યું. તબીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ બાદ બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ દંપતીને તેમની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું. એકવાર તેઓ તૈયાર થઈ ગયા પછી, વિમાન એક કલાક મોડા રવાના થયું. ઍરપોર્ટ અધિકારીઓએ સમજાવ્યું કે શિશુઓ અને નાના બાળકોને વિમાનમાં મુસાફરી કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે.


