Air india Flight: શુક્રવારે થાઇલૅન્ડ, ફુકેટથી દિલ્હી આવતી ઍર ઇન્ડિયાની એક ફ્લાઇટની ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવી પડી. માહિતી છે કે ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.
ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર
Air India Flight: શુક્રવારે થાઇલૅન્ડ, ફુકેટથી દિલ્હી આવતી ઍર ઇન્ડિયાની એક ફ્લાઇટની ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવી પડી. માહિતી છે કે ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.
મુશ્કેલીઓ જાણે ઍર ઇન્ડિયાનો પીછો પકડી રહી છે. છેલ્લા બે દિવસમાં આ ઍરલાઈન્સ પર અનેક મોટી આફતો આવી ચૂકી છે એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. ગુરુવારે પ્લેન ક્રેશ અકસ્માત બાદ શુક્રવારે પણ અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈ છે. જેમાંથી હવે એક ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળ્યા બાદ આ ફ્લાઇટની ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવી પડી છે.
ADVERTISEMENT
હકીકતે, થાઇલૅન્ડના ફુકેટથી દિલ્હી આવતી ઍર ઇન્ડયાની ફ્લાઇટ AI 379ની શુક્રવારે ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવી પડી. ફુકેટ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.
ટૅકઑફ પછી ધમકી મળી
અધિકારીઓના જણાવ્યા મુજબ, ધમકી મળી ત્યારે ફ્લાઇટ ફૂકેટથી ઉડાન ભરી હતી. આ પછી, વિમાનને સુરક્ષિત રીતે ફુકેટ પરત લૅન્ડ કરવામાં આવ્યું. ફુકેટ ઍરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ લૅન્ડ થઈ ગઈ છે અને ઍરપોર્ટ ઇમરજન્સી પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. થાઇલૅન્ડના ઍરપોર્ટે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓ હવે વિમાન અને મુસાફરોના સામાનની નજીકથી તપાસ કરી રહ્યા છે.
View this post on Instagram
આજે ઘણી ફ્લાઇટ્સ કરવામાં આવી હતી ડાયવર્ટ
શુક્રવારે ઍર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. ડાયવર્ટ કરવાનું કારણ ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ હતો. ઇરાને તેનું ઍરસ્પેસ બંધ કરી દીધું છે. તેથી ફ્લાઇટને પરત ફરવું પડ્યું. ઍર ઇન્ડિયાએ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી છે અથવા પાછી ખેંચી લીધી છે. ઍર ઇન્ડિયાએ કહ્યું, `મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે અથવા તેમના મૂળ સ્થાને પરત ફરી રહી છે.`
એક દિવસ પહેલા થયો હતો આ અકસ્માત
ગુરુવારે, અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું એક વિમાન ક્રૅશ થયું હતું. આ અકસ્માત ઍર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સાથે થયો હતો. વિમાનનો નંબર AI 171 હતો. આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેકઓફ કર્યાની થોડીક સેકન્ડ પછી, તે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડી ગઈ. વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હતા.
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-379 એ થાઇલૅન્ડના ફુકેટ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. ફ્લાઇટ ફુકેટથી દિલ્હી આવી રહી હતી.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે ફ્લાઇટ ટ્રેકર `ફ્લાયટ્રેડર24` ને ટાંકીને જણાવ્યું છે કે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યે (સ્થાનિક સમય મુજબ બપોરે 2.30 વાગ્યે) ફુકેટ ઍરપોર્ટથી ઉડાન ભરી હતી.

