યુક્રેનની સરકારી માલિકીની ઓસ્ચાડબેંક સાથે કરોડો ડોલરના મોટા રોકાણ વિવાદમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પૂર્વ CJI ચંદ્રચૂડ
યુક્રેનની સરકારી માલિકીની ઓસ્ચાડબૅન્ક સાથે કરોડો ડોલરના મોટા રોકાણ વિવાદમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂના અહેવાલ મુજબ, આ વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના પરિણામે થયેલા નુકસાન સાથે સંબંધિત છે.
રશિયાએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂમાં જણાવાયું છે કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ટ્રિબ્યુનલમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરશે. ટ્રિબ્યુનલ યુક્રેનની સરકારી માલિકીની બૅન્ક, ઓસ્ચાડબૅન્ક દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને બૅન્કના સંચાલન પર લશ્કરી કાર્યવાહીની કથિત અસર અંગે લાવવામાં આવેલા વિવાદની સુનાવણી કરી રહ્યું છે. અહેવાલ મુજબ, આ કેસ યુક્રેનના ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝિયા પ્રદેશોમાં તેની સંપત્તિઓ અને વ્યવસાયિક કામગીરી પર ઓસ્ચાડબૅન્કના દાવાઓને લગતો છે. બૅન્કનું કહેવું છે કે 2022 માં રશિયાના મોટા પાયે આક્રમણ અને ત્યારબાદ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીને કારણે તેણે આ સંપત્તિઓ અને કામગીરી ગુમાવી દીધી.
ADVERTISEMENT
રશિયાએ ન્યાયાધીશ ચંદ્રચુડને મુખ્ય કાનૂની જવાબદારી સોંપી
રિપોર્ટ્સ જણાવે છે કે યુક્રેનની સરકારી માલિકીની ઓશાદબૅન્ક સાથે કરોડો ડોલરના મોટા રોકાણ વિવાદમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ અનુસાર, આ વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના પરિણામે થયેલા નુકસાન સાથે સંબંધિત છે. ઓશાદબૅન્કનો આરોપ છે કે 2022 માં રશિયાના સંપૂર્ણ પાયે લશ્કરી આક્રમણ અને ત્યારબાદ રશિયા દ્વારા કબજા બાદ દક્ષિણપૂર્વ યુક્રેનમાં તેની સંપત્તિઓ અને બૅન્કિંગ કામગીરીને નોંધપાત્ર નુકસાન થયું છે.
બૅન્કના સીઈઓના જણાવ્યા મુજબ, યુદ્ધને કારણે બૅન્કને આશરે US$460 મિલિયનનું નુકસાન થયું છે, જેમાં $379 મિલિયનનું સીધું નુકસાન પણ સામેલ છે. આ કાનૂની લડાઈ ૧૯૯૮માં રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા દ્વિપક્ષીય રોકાણ કરાર હેઠળ લડાઈ રહી છે. બૅન્કનું કહેવું છે કે રશિયાએ આ કરારનું ઉલ્લંઘન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત થયાના એક મહિના પછી ૧૮ ડિસેમ્બરે ચંદ્રચૂડે તત્કાલીન CJI ખન્નાને પત્ર લખીને ૨૦૨૫ની ૩૦ એપ્રિલ સુધી આ બંગલામાં રહેવાની પરવાનગી માગી હતી. તત્કાલીન CJIની મંજૂરીને પગલે, MoHUAએ ૨૦૨૪ની ૧૧ ડિસેમ્બરથી ૨૦૨૫ની ૩૦ એપ્રિલ સુધી જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા કૃષ્ણ મેનન માર્ગ પરના ટાઇપ VIII બંગલાને ૫૪૩૦ રૂપિયા પ્રતિ માસ લાઇસન્સ ફી ચૂકવીને જાળવી રાખવાની મંજૂરી આપી હતી. એપ્રિલના અંતમાં તેમણે જૂન સુધી વધુ સમય માગ્યો હતો, કારણ કે તેમની મોટી પુત્રી નેમાલાઇન માયોપેથી નામના દુર્લભ આનુવંશિક રોગથી પીડાઈ રહી છે. હાલના બંગલામાં તેમના માટે ICU જેવું સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
