Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પિક્ચર તો અભી બાકી હૈ, તૃણમૂલ કૉન્ગ્રેસની મુસ્લિમ વોટબૅન્ક હવે ખતમ થઈ જશે

પિક્ચર તો અભી બાકી હૈ, તૃણમૂલ કૉન્ગ્રેસની મુસ્લિમ વોટબૅન્ક હવે ખતમ થઈ જશે

Published : 08 December, 2025 09:10 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હુમાયુ કબીરે બાબરી મસ્જિદનું ભૂમિપૂજન કર્યા પછી મમતા બૅનરજીને આપી ચેતવણી

 હુમાયુ કબીર

હુમાયુ કબીર


તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા હુમાયુ કબીરે રવિવારે એક મુલાકાતમાં મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘હું બાવીસમી ડિસેમ્બરે એક રાજકીય પાર્ટી બનાવીશ જે મુસ્લિમો માટે કામ કરશે. અમે રાજ્યની ૨૯૪ બેઠકોમાંથી ૧૩૫ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીશું અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એ એક ગેમ-ચેન્જર બનશે. હું અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કરીશ. આ મુદ્દે તેમની સાથે વાતચીત થઈ ગઈ છે. અમે મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારોમાં ઉમેદવારો ઊભા રાખીશું. મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહમાં લગભગ ૮,૦૦,૦૦૦ લોકો હાજર રહ્યા હતા. સ્થાનિક પોલીસની મદદ વિના લાખો લોકોએ આ સમારોહમાં ભાગ લીધો હતો.’

બાબરી મસ્જિદના નિર્માણ વિશે હુમાયુ કબીરે કહ્યું હતું કે ‘દેશભરના ઉદ્યોગો મને ટેકો આપશે. ભારતમાં મુસ્લિમો પાસે ઘણા પૈસા છે અને તેઓ બાબરી મસ્જિદના નિર્માણમાં મદદ કરશે.’
હુમાયુ કબીરે ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કૉન્ગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ બંગાળમાં BJPને સત્તામાં આવવા દેશે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો કે પિક્ચર અભી બાકી હૈ. તૃણમૂલ કૉન્ગ્રેસની મુસ્લિમ વોટબૅન્ક હવે ખતરામાં છે.



મુર્શિદાબાદમાં ઉપસ્થિત લોકોને સંબોધતાં હુમાયુ કબીરે કહ્યું હતું કે ‘હું કોઈ કામ ગેરકાનૂની નહીં કરું. દેશમાં કોઈ પણ મંદિર બનાવી શકે છે, ચર્ચ બનાવી શકે છે એમ હું મસ્જિદ બનાવીશ. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં લખવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદને હિન્દુ લોકોએ તોડી પાડી હતી.’


મુર્શિદાબાદ પછી હવે હૈદરાબાદમાં બાબરી મસ્જિદની રેપ્લિકા બનાવાશે 

પશ્ચિમ બંગાળ પછી હવે હૈદરાબાદમાં તહરીક મુસ્લિમ શબ્બનના પ્રેસિડન્ટ મુશ્તાક મલિકે જાહેરાત કરી હતી કે ‘બાબરી મસ્જિદ પાડવાનાં ૩૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે હૈદરાબાદમાં મસ્જિદમાં એક રૂટીન પબ્લિક-મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં અમે નિર્ણય લીધો હતો કે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદનું મેમોરિયલ બનાવીશું. એ બાબરી મસ્જિદની રેપ્લિકા જેવું હશે. એમાં કેટલાંક વેલ્ફેર કાર્યો પણ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 09:10 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK