Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતા બૅનરજી બેઠાં ધરણાં પર! BJPએ ૧૭૭ બેઠક પર ગોટાળા કરીને જીત મેળવવાનો આરોપ મૂક્યો

મમતા બૅનરજી બેઠાં ધરણાં પર! BJPએ ૧૭૭ બેઠક પર ગોટાળા કરીને જીત મેળવવાનો આરોપ મૂક્યો

Published : 03 June, 2026 07:32 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી આપી નથી છતાં વિરોધ લોકશાહી રીતે ચાલુ રહેશે

ગઈ કાલે ધરણાં પર બેઠેલાં મમતા બૅનરજી.

ગઈ કાલે ધરણાં પર બેઠેલાં મમતા બૅનરજી.


પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીની સરકાર સામે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિરોધ-પ્રદર્શન અને ધરણાં શરૂ કર્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૧૭૭ બેઠકો પર ગોટાળા કરીને જીત મેળવી છે અને લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોને રોકી રહી છે.’ તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અભિષેક બૅનરજી અને કલ્યાણ બૅનરજી પર તાજેતરના હુમલાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધમાં પાર્ટીના અન્ય સંસદસભ્ય અભિષેક બૅનરજી સાથે જોડાયા છે. 

મમતા બૅનરજીએ શું કહ્યું?
• BJPએ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૭૭ બેઠકો પર ગોટાળા કર્યા.
• પોલીસે વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી આપી નથી છતાં વિરોધ લોકશાહી રીતે ચાલુ રહેશે.
• રોકવાના ગમે એટલા પ્રયાસો કરવામાં આવે તો પણ વિરોધ-પ્રદર્શન અને ધરણાં ચાલુ રહેશે.
• આ મુશ્કેલ સમયમાં હું તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોને છોડીશ નહીં.
• ઘણી જગ્યાએ કામદારોને ધમકી આપવામાં આવી રહી છે અને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.
• પોલીસ તૃણમૂલના કાર્યકરોને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેતાં અટકાવી રહી છે.
• મારી સરકારે હંમેશાં માનવતાવાદી અભિગમ સાથે કામ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 07:32 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK