Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલંગણમાં વધુ ૨૦૦ કૂતરાની હત્યા સાથે આંકડો ૧૧૦૦એ પહોંચ્યો

તેલંગણમાં વધુ ૨૦૦ કૂતરાની હત્યા સાથે આંકડો ૧૧૦૦એ પહોંચ્યો

Published : 29 January, 2026 11:21 AM | IST | Hanamakonda
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે હનમકોંડા જિલ્લામાં ૨૦૦ કૂતરાની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ ઍનિમલ વેલ્ફેર ગ્રુપોએ લગાવ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


તેલંગણમાં ૨૦૨૫ના ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ૧૧૦૦ જેટલા રખડતા કૂતરાઓની સામૂહિક હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગઈ કાલે હનમકોંડા જિલ્લામાં ૨૦૦ કૂતરાની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ ઍનિમલ વેલ્ફેર ગ્રુપોએ લગાવ્યો છે. સ્ટ્રે ઍનિમલ ફાઉન્ડેશનના ક્રુઅલ્ટી પ્રિવેન્શન મૅનેજર એ. ગૌતમે આરોપ લગાવ્યો હતો કે શ્યામપેટના પાથીપાકા ગામમાં ગ્રામપંચાયતના સેક્રેટરીના ઇશારે કૂતરાઓને ટૉક્સિક ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા હતા અને એમને દાટી દેવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે બે મહિલા ગ્રામપંચાયત સરપંચ સહિત ૯ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.

આ પહેલાં જગતિયાલ જિલ્લામાં એક ખાડામાંથી લગભગ ૩૦૦ કૂતરાના મૃતદેહ મળી આવ્યા હતા. આ સિવાય હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર પેગડાપલ્લીમાં ૨૦૦ કૂતરાની હત્યા ગામના સરપંચના આદેશ પર થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2026 11:21 AM IST | Hanamakonda | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK