Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભાગેડુ નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની અમેરિકામાં ધરપકડ, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ

ભાગેડુ નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની અમેરિકામાં ધરપકડ, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ

Published : 05 July, 2025 05:49 PM | Modified : 06 July, 2025 07:03 AM | IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nirav Modi`s brother Nehal Modi Arrested: પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્રે જ ભારતને આપી છે.

નેહલ મોદી અને નીરવ મોદી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

નેહલ મોદી અને નીરવ મોદી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્રે જ ભારતને આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI એ નિહાલના પ્રત્યાર્પણ માટે અમેરિકાને અપીલ કરી હતી. અમેરિકાએ કહ્યું કે નિહાલ મોદીને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી 17 જુલાઈએ કોર્ટમાં થશે, જેમાં તે જામીન માગી શકે છે. જો કે, સરકારી વકીલ તેના જામીનનો વિરોધ કરશે.


યુએસ પ્રોસિક્યુટર્સ (US Prosecuters) દ્વારા બે આરોપો પર પ્રત્યાર્પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, એક પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act), 2002 ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો અને બીજો ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 201 (ફરાર) હેઠળ ગુનાહિત કાવતરું કરવાનો. નિહાલ (46 વર્ષ) પંજાબ નેશનલ બેંક સાથે સંકળાયેલા 13,000 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં આરોપી છે.



આ કેસ અત્યાર સુધીના સૌથી મોટા છેતરપિંડીના કેસોમાંનો એક છે. બે ભાઈઓ (નીરવ અને નિહાલ મોદી) અને તેમના સંબંધી મેહુલ ચોક્સી પર છેતરપિંડીનો આરોપ છે. પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્રે જ ભારતને આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI એ નિહાલના પ્રત્યાર્પણ માટે અમેરિકાને અપીલ કરી હતી. નિહાલ (46 વર્ષ) પંજાબ નેશનલ બેંક સાથે સંકળાયેલા 13,000 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં આરોપી છે.


પંજાબ નેશનલ બેન્ક – પીએનબી (Punjab National Bank - PNB) સહિત ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી (Nirav Modi)ને વધુ એક ઝટકો લાગ્યો છે. ફરી એકવાર તેમનું જેલમાંથી બહાર આવવાનું સ્વપ્ન તૂટી ગયું છે. તેમના જામીન ૧૦મી વખત ફગાવી દેવામાં આવ્યા છે. લંડન (London)ની હાઈકોર્ટ ઓફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે ફરી એકવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી (Nirav Modi Bail Plea) હતી. લંડનની હાઈકોર્ટ (London`s High Court) ઓફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે નીરવ મોદીની તાજેતરની જામીન અરજી ફગાવી દીધી હતી. નીરવ મોદીએ જેલમાંથી બહાર આવવા માટે આ અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – સીબીઆઈ (Central Bureau of Investigation - CBI)ના મજબૂત દલીલોને કારણે તેને રાહત મળી ન હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન, સીબીઆઈ ટીમે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (Crown Prosecution Service - CPS) સાથે મળીને સમગ્ર કેસમાં ભારત સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો. 


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2025 07:03 AM IST | London | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK