Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગૌતમ અદાણીએ ગુજરાતના લોકોનો ગુસ્સો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે : નરેન્દ્ર મોદી

ગૌતમ અદાણીએ ગુજરાતના લોકોનો ગુસ્સો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે : નરેન્દ્ર મોદી

Published : 03 May, 2025 08:53 AM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીપોર્ટનું બાંધકામ ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર ગૌતમ અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડે આશરે ૮૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે.

ગઈ કાલે તિરુવનંતપુરમમાં નરેન્દ્ર મોદીનું સન્માન કરતા ગૌતમ અદાણી

ગઈ કાલે તિરુવનંતપુરમમાં નરેન્દ્ર મોદીનું સન્માન કરતા ગૌતમ અદાણી


કેરલાના તિરુવનંતપુરમના વિઝિન્જમમાં ડીપવૉટર મલ્ટિપર્પઝ સીપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતાં નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘મેં હાલમાં જ આ આખા પોર્ટની મુલાકાત લીધી. ગુજરાતના લોકોને જ્યારે ખબર પડશે કે આટલું સુંદર પોર્ટ અદાણીએ કેરલામાં બનાવ્યું છે ત્યારે તેઓ કહેશે કે ગૌતમ અદાણી ગુજરાતમાં ૩૦ વર્ષથી કામ કરે છે છતાં આવું પોર્ટ બનાવ્યું નથી. એટલે તેમણે ગુજરાતના લોકોનો ગુસ્સો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.’આ સીપોર્ટથી ભારતના મૅરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણો મોટો ફાયદો થશે. આ સીપોર્ટનું બાંધકામ ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર ગૌતમ અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડે આશરે ૮૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2025 08:53 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK