Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને બિયંત સિંહની જેમ ઉડાડી દેવાની ધમકી

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને બિયંત સિંહની જેમ ઉડાડી દેવાની ધમકી

Published : 18 February, 2026 09:14 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીફ મિનિસ્ટર જ્યાં ઍડ્‍મિટ છે એ મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં હાઈ-અલર્ટ

ભગવંત માન

ભગવંત માન


પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનને સોમવારે મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ગઈ કાલે હૉસ્પિટલને બૉમ્બની ધમકીની ઈ-મેઇલ મળી હતી અને એના પછી હાઈ-અલર્ટ જાહેર કરવામાં આવી છે. સોમવારે મોગામાં એક રૅલીમાંથી પાછા ફર્યા બાદ ભગવંત માનને બીજી વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઈ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવંત માનને ભાઈ દિલાવર સિંહના વારસદારો દ્વારા પોલોનિયમ નામનું ઝેર અપાયું છે. એમાં વધુમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ બચી ગયા તો તેમને બિયંત જેવું જ પરિણામ મળશે, ફોર્ટિસ હૉસ્પિટલમાંથી ફક્ત મુખ્ય પ્રધાનનો મૃતદેહ જ બહાર આવશે.



પંજાબના ભૂતપૂર્વ પોલીસ-કૉન્સ્ટેબલ દિલાવર સિંહે પોતાની કમર પર વિસ્ફોટકોનો પટ્ટો બાંધ્યો હતો, એના કારણે ઑગસ્ટ ૧૯૯૫માં વિસ્ફોટ થયો હતો જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન બિયંત સિંહ અને અન્ય ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ધમકીમાં ઉલ્લેખિત પોલોનિયમ એક દુર્લભ કિરણોત્સર્ગી પદાર્થ છે જે એની અત્યંત ઝેરી અસર માટે જાણીતો છે.


પોલીસ-અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભગવંત માનને અન્યત્ર ખસેડવાની કોઈ યોજના નથી અને મોહાલી પોલીસ અને મુખ્ય પ્રધાનની સુરક્ષા-ટીમ બન્ને સંપૂર્ણપણે સતર્ક છે. અધિકારીઓએ એ પણ નોંધ્યું હતું કે ૧૧ ફેબ્રુઆરીએ મળેલી આ પ્રકારની ઈ-મેઇલ પાછળથી બનાવટી જાહેર કરવામાં આવી હતી. જોકે કોઈ પણ જોખમ ન લેતાં સુરક્ષા-એજન્સીઓ તમામ સલામતી પ્રોટોકૉલનો કડક રીતે અમલ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 09:14 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK