Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આખરે રોહિત પવારે બૅન્ગલોરમાં અજિત પવારના પ્લેન-ક્રૅશ સંદર્ભે પોલીસ-ફરિયાદ નોંધાવી

આખરે રોહિત પવારે બૅન્ગલોરમાં અજિત પવારના પ્લેન-ક્રૅશ સંદર્ભે પોલીસ-ફરિયાદ નોંધાવી

Published : 25 March, 2026 10:16 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત પવારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે. 

રોહિત પવાર

રોહિત પવાર


બારામતી ઍરપોર્ટ પાસે ૨૮ જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રૅશમાં અજિત પવાર ઉપરાંત અન્ય ૪ જણનાં મોત થયાં હતાં એ કેસમાં એ અકસ્માત નહીં પણ તેમની હત્યા કરવાનું કાવતરું હોઈ શકે એવી શંકા દર્શાવીને અજિત પવારના ભત્રીજા અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પોલીસમાં ફરિયાદ કરવા બહુ જ પ્રયાસ કરી રહ્યા હતા. આખરે ગઈ કાલે તેમણે કર્ણાટકના બૅન્ગલોરમાં આવેલા શેષાદ્રિપુરમ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં ઝીરો FIR નોંધવામાં આવ્યો છે. આ પહેલાં રોહિત પવારે ૨૫ ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ પોલીસમાં અને ૨૬ ફેબ્રુઆરીએ બારામતી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. આ કેસની તપાસ પુણેનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ પ્રમાણે કરી રહી છે.

રોહિત પવારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 10:16 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK