Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરના નર્સ સરલા ભટ અત્યાચાર-હત્યા કેસમાં યાસીન મલિક સામે ચાર્જશીટ દાખલ

જમ્મુ-કાશ્મીરના નર્સ સરલા ભટ અત્યાચાર-હત્યા કેસમાં યાસીન મલિક સામે ચાર્જશીટ દાખલ

Published : 29 June, 2026 05:56 PM | IST | Srinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SIA મુજબ, 18 એપ્રિલ, 1990 ના રોજ બપોરે 2:30 વાગ્યાની આસપાસ SKIMS નજીકથી સરલા ભટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને શ્રીનગરના માલબાગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેમના પર અત્યાચાર કરી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

યાસીન મલિક

યાસીન મલિક


જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ 18 એપ્રિલ, 1990 ના રોજ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅડિકલ સાયન્સિસ (SKIMS) માં સ્ટાફ નર્સ સરલા ભટના અપહરણ, અત્યાચાર અને હત્યાના કેસમાં શ્રીનગરમાં ઍડિશનલ સૅશન્સ જજ (TADA/POTA અને NIA ઍક્ટ) ની ખાસ કોર્ટમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં જેલમાં બંધ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના પ્રમુખ, અને આતંકવાદી મોહમ્મદ યાસીન મલિકને આ હત્યાના કાવતરા પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યો છે. યાસીન મલિક ઉપરાંત, SIA એ આ કેસમાં ખુર્શીદ અહેમદ ચાલકુ, અબ્દુલ હમીદ શેખ, મોહમ્મદ યુસુફ સોફી (ઉર્ફે ઇદ્રીસ) અને ગુલામ મોહમ્મદ ટપલૂને પણ આરોપી ગણાવ્યા છે. એજન્સી અનુસાર, શેખ, સોફી અને ટપલૂનું અવસાન થયું છે, જ્યારે ચાલકુ પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) ભાગી ગયો હોવાનો આરોપ છે, અને તેને જાહેર ગુનેગાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તપાસમાં શું બહાર આવ્યું?



SIA મુજબ, 18 એપ્રિલ, 1990 ના રોજ બપોરે 2:30 વાગ્યાની આસપાસ SKIMS નજીકથી સરલા ભટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને શ્રીનગરના માલબાગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેમના પર અત્યાચાર કરી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા બેલિસ્ટિક વિશ્લેષણમાં પુષ્ટિ મળી હતી કે ગુનાના સ્થળેથી મળી આવેલા ત્રણ કારતૂસના કેસ એક જ હથિયારથી ફાયર કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે સંરક્ષિત સાક્ષીઓ, પ્રત્યક્ષદર્શીઓ, તબીબી રૅકોર્ડ્સ, ફોરેન્સિક અને બેલિસ્ટિક રિપોર્ટ્સ, ઇલેક્ટ્રોનિક પુરાવા અને દસ્તાવેજી રૅકોર્ડ્સના આધારે ઘટનાઓનો ક્રમ ફરીથી બનાવવામાં આવ્યો હતો. ચાર્જશીટ મુજબ, ઘાયલ JKLF આતંકવાદીઓ તે સમયે SKIMS માં સારવાર લઈ રહ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે 8 એપ્રિલ, 1990 ના રોજ નરવાડામાં પોલીસ કાર્યવાહી બાદ, યાસીન મલિકને શંકા હતી કે એક કાશ્મીરી પંડિત નર્સે પોલીસને માહિતી આપી હતી. જોકે, SIA એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરલા ભટે માહિતી આપી હોવાનો આરોપ સંપૂર્ણપણે ખોટો હતો અને ફક્ત તેમની હત્યા કરવા વાર્તા બનાવવામાં આવી હતી.


2024 માં તપાસ ફરી શરૂ

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકના આદેશને અનુસરીને 18 માર્ચ, 2024 ના રોજ કેસ SIA ને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ, એજન્સીએ ત્રણ દાયકાથી વધુ જૂના કેસની તપાસ ફરીથી શરૂ કરી. ચાર્જશીટમાં ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65-B હેઠળ પ્રમાણિત ઇલેક્ટ્રોનિક પુરાવા પણ શામેલ છે. આમાં ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે સાથેનો એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ પણ સામેલ છે, જેમાં તેણે JKLFના વરિષ્ઠ નેતૃત્વના નિર્દેશો હેઠળ કરવામાં આવેલી લક્ષિત હત્યાઓમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 05:56 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK