લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવે અને સાથે જ જાતિ-ધર્મ-સંપ્રદાય જેવા મુદ્દાઓ ચર્ચામાં આવે, હવે આ એક સ્વાભાવિક બાબત બની ગઈ છે. દર પાંચ વર્ષે મત આપનાર ભારતીય મતદાતા વાયદાઓ અને ખોટી આશાઓની નાવમાં બેસીને, પોતાની અનેક ફરજોમાંની એક મત આપવાની ફરજ પૂરી કરવા નીકળી પડે છે એક એવી પાર્ટીને મત આપવા માટે જેણે આ નાવમાં કાણું પાડી દીધું છે અને વ્યય કરી દે આ મત આપવાના અધિકારનો.