મહિલાએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે હું દરરોજ નાહતી ન હોવાના બહાને પતિ ત્રણ વખત તલાક બોલ્યો હતો. પતિ-પત્ની અને તેમના પરિવારજનોને આ લગ્ન બચાવવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
મિડ-ડે લોગો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં રહેતા એક મુસ્લિમ યુવકે તેની પત્ની દરરોજ નાહતી ન હોવાથી છૂટાછેડા માગ્યા છે. પત્નીએ વિમેન પ્રોટેક્શન સેલમાં પોતાનાં લગ્ન બચાવવા માટે ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા કવીરસ ગામની તો પુરુષ ચંદોશ ગામનો રહેવાસી છે. બન્નેનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં અને તેમને એક વર્ષનું બાળક પણ છે. અલીગઢ વિમેન પ્રોટેક્શન સેલમાં આ બન્નેને સલાહ આપવામાં આવી રહી છે. મહિલાએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે હું દરરોજ નાહતી ન હોવાના બહાને પતિ ત્રણ વખત તલાક બોલ્યો હતો. પતિ-પત્ની અને તેમના પરિવારજનોને આ લગ્ન બચાવવા માટે સલાહ આપવામાં આવી રહી છે. મહિલાને પતિ સાથે રહેવાની ઇચ્છા છે, તો બીજી તરફ પતિએ વારંવાર પોતે છૂટાછેડા લેવા માગે છે એ વાત કરી છે, કારણ કે તેની પત્ની દરરોજ નહાતી નથી. વળી આ મામલે બન્ને વચ્ચે ઘણી વખત ઝઘડો પણ થયો છે. સલાહકારે પતિને આવી નાની સમસ્યાનો ઉકેલ લાવી શકાય એ મામલે છૂટાછેડા ન લેવા માટે સમજાવ્યો છે.