Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પકડાઈ ગયેલા ચોરે પોલીસની સામે ઘરમાલિકને પૂછ્યું, ‘રૂમને તાળાં કેમ નહોતાં?’

પકડાઈ ગયેલા ચોરે પોલીસની સામે ઘરમાલિકને પૂછ્યું, ‘રૂમને તાળાં કેમ નહોતાં?’

Published : 21 April, 2026 02:20 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ચોરે ચોરી કર્યા પછી સીનાજોરી કરી હતી. ગાયત્રીનગરમાં બંધ પડેલા એક મકાનમાં ૩૧ માર્ચથી ૪ એપ્રિલ વચ્ચે ચોરી થઈ હતી. ચોર ઘરના ગેટનાં તાળાંને તોડીને અંદર ઘૂસી ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ


ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ચોરે ચોરી કર્યા પછી સીનાજોરી કરી હતી. ગાયત્રીનગરમાં બંધ પડેલા એક મકાનમાં ૩૧ માર્ચથી ૪ એપ્રિલ વચ્ચે ચોરી થઈ હતી. ચોર ઘરના ગેટનાં તાળાંને તોડીને અંદર ઘૂસી ગયો હતો. ઘરની અંદર ૭ રૂમો હતી એના પર માત્ર કડીઓ જ લગાવેલી હતી, તાળાં નહોતાં. એને કારણે ચોર માટે ચોરી કરવાનું આસાન થઈ ગયું. તેણે ઘરની દરેક રૂમમાંથી લગભગ ૪૦ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા. જોકે ચોરેલાં ઘરેણાં વેચવા જતી વખતે તે પકડાઈ ગયો. પોલીસે જ્વેલરને ત્યાં ચોરીનો માલ વેચવા આવેલા ચોરને પકડી લીધો હતો. એ પછી તેને પોલીસ-સ્ટેશને લઈ જઈને ચોરેલો માલ જપ્ત કર્યો હતો. નવાઈની વાત એ હતી કે જ્યારે ચોરને મકાનમાલિકની સામે લાવવામાં આવ્યો ત્યારે તેણે ઊલટું માલિકને જ ખખડાવી નાખ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આટલા મોટા ઘરમાં નાનું તાળું કેમ? કેમ ઘરની રૂમોને તાળાં નહોતાં લગાવ્યાં?’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 02:20 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK