Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સનરાઇઝર્સ હૈદરાબાદ મને ક્યારેય અનબ્લૉક નહીં કરે : ડેવિડ વૉર્નર

સનરાઇઝર્સ હૈદરાબાદ મને ક્યારેય અનબ્લૉક નહીં કરે : ડેવિડ વૉર્નર

Published : 25 May, 2026 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૨૩ બાદ ફરી એક વખત સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા સોશ્યલ મીડિયા પર બ્લૉક થવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

ડેવિડ વૉર્નર

ડેવિડ વૉર્નર


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૨૩ બાદ ફરી એક વખત સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા સોશ્યલ મીડિયા પર બ્લૉક થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે એક ચાહકે વૉર્નરની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટ-બૉક્સમાં હૈદરાબાદ ટીમને ટૅગ કરીને ફ્રૅન્ચાઇઝીને તેને અનબ્લૉક કરવાની વિનંતી કરી ત્યારે વૉર્નરે જવાબ આપ્યો હતો, ‘તેઓ મને ક્યારેય અનબ્લૉક નહીં કરે.’ 
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર સનરાઇઝર્સ હૈદરાબાદના અકાઉન્ટનો સ્ક્રીનશૉટ શૅર કરીને ફૅન્સને પૂછ્યું પણ કે ‘શું આ સનરાઇઝર્સ હૈદરાબાદનું ઑફિશ્યલ અકાઉન્ટ છે?’ ૨૦૧૪થી ૨૦૨૧ સુધી હૈદરાબાદ માટે રમનાર ડેવિડ વૉર્નરે પોતાની કૅપ્ટન્સીમાં ૨૦૧૬માં આ ટીમને પહેલી ટ્રોફી જિતાડી આપી હતી. ડેવિડ વૉર્નર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના સંબંધોમાં કેમ તિરાડ પડી છે એની કોઈ સ્પષ્ટતા નથી થઈ. 


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK