IPL 2026ની નિષ્ફળતા, માનસિક તનાવ અને ઇન્જરીને કારણે આગામી સીઝનમાં ટીમમાં ન રહેવાનો નિર્ણય મૅનેજમેન્ટને સંભળાવી દીધો...
હાર્દિક પંડ્યા
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રૅન્ચાઇઝીને જાણ કરી છે કે તે કૅપ્ટન તરીકેની ખરાબ સીઝન પછી હવે ટીમથી અલગ થવા તૈયાર છે. મુંબઈ ટીમની નિષ્ફળતા, પીઠની ઇન્જરી અને માનસિક તનાવ વચ્ચે હાર્દિકે સીઝનની મધ્યમાં જ આગામી સીઝનમાં ટીમ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.
હાર્દિક પંડ્યા ૨૦૨૪માં ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ટીમમાં પાછો આવ્યો હતો. પાંચ વખતના IPL ચૅમ્પિયન રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી છીનવાઈ જતાં ટીમ અને ફૅન્સમાં નિરાશા જોવા મળી હતી. હાર્દિકની આગેવાનીમાં મુંબઈ છેલ્લી ત્રણ સીઝનમાં ૩૯ મૅચમાંથી માત્ર ૧૫ મૅચ જીતી શક્યું અને ૨૪ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ૨૦૨૫ની સીઝનમાં ટીમ પ્લેઑફમાં પહોંચી હતી અને બાકીની બન્ને સીઝનમાં ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે રહી હતી.
