Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ફાઇનલ ટીમ જાહેર કરી દીધી

ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ફાઇનલ ટીમ જાહેર કરી દીધી

Published : 13 February, 2025 10:51 AM | Modified : 14 February, 2025 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે અગાઉ જાહેર કરેલી કામચલાઉ ટીમમાં જાયસવાલનો સમાવેશ હતો

હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી


મુખ્ય પેસબોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાનો અને ​ઓપનિંગ બૅટર યશસ્વી જાયસવાલના સ્થાને વરુણ ચક્રવર્તીનો સમાવેશ


૧૯ ફેબ્રુઆરીથી શરૂ થતી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુખ્ય પેસબોલર જસપ્રીત બુમરાહ લોઅર બૅકની ઇન્જરીને કારણે નહીં રમે એ ફાઇનલ થઈ ગયું છે. બુમરાહની જગ્યાએ ટીમમાં હર્ષિત રાણાને લેવામાં આવ્યો છે. બીજી બાજુ ઇંગ્લૅન્ડ સામેની T20 અને વન-ડે સિરીઝમાં સારું પર્ફોર્મ કરનારા મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું છે. વરુણને યશસ્વી જાયસવાલની જગ્યાએ લેવામાં આવ્યો છે. ભારતે અગાઉ જાહેર કરેલી કામચલાઉ ટીમમાં જાયસવાલનો સમાવેશ હતો.



પાંચ સ્પિનરોવાળી ૧૫ ખેલાડીઓની ભારતીય ટીમ


રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

નૉન-ટ્રાવેલિંગ સબ્સ્ટિટ‍્યુટ ઃ યશસ્વી જાયસવાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે. આ પ્લેયર્સ જરૂર પડશે ત્યારે દુબઈ જશે.


ટીમ ઇન્ડિયાની મૅચો ક્યારે છે?
૨૦ ફેબ્રુઆરી : બંગલાદેશ
૨૩ ફેબ્રુઆરી : પાકિસ્તાન
૨ માર્ચ : ન્યુ ઝીલૅન્ડ
બપોરે : ૨.૩૦ વાગ્યે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK