T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા, યંગ બૅટર વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રવિ બિશ્નોઈ, મયંક શર્મા, અશોક શર્મા સહિતના ખેલાડીઓએ ઝિમ્બાબ્વેની ફ્લાઇટ પકડી હતી
વી.વી.એસ. લક્ષ્મણ આ ટૂર પર કોચિંગની જવાબદારી સંભાળશે
ભારતની T20 ટીમ આગામી ૨૩થી ૨૬ જુલાઈ ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ માટે ટીમનું પહેલું ગ્રુપ મુંબઈથી ઝિમ્બાબ્વે માટે રવાના થઈ ગયું છે. સેન્ટર ઑફ ઍક્સેલન્સના પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ આ ટૂર પર કોચિંગની જવાબદારી સંભાળશે.
T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા, યંગ બૅટર વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રવિ બિશ્નોઈ, મયંક શર્મા, અશોક શર્મા સહિતના ખેલાડીઓઅે ઝિમ્બાબ્વેની ફ્લાઇટ પકડી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર સહિતના અન્ય ખેલાડીઓ ઇંગ્લૅન્ડની વન-ડે સિરીઝ પૂર્ણ કરીને ઝિમ્બાબ્વે પહોંચશે.
