બીજી ક્વૉલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 5 વિકેટ્સથી મેચ જીતી ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. પંજાબ હવવે 3 જૂનના બૅંગ્લુરૂ સાથે આઈપીએલ 2025ની ફાઈનલ રમશે.
મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ ઉતરેલા ચહેરા
બીજી ક્વૉલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 5 વિકેટ્સથી મેચ જીતી ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. પંજાબ હવવે 3 જૂનના બૅંગ્લુરૂ સાથે આઈપીએલ 2025ની ફાઈનલ રમશે.
આઇપીએલ 2025ની બીજી ક્વૉલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી. આ હાય સ્કોરિંગ મેચ પંજાબે 5 વિકેટ્સથી જીતી લીધી અને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી. આ વખતે આઈપીએલને નવા વિજેતા મળશે. આરસીબી અને પંજાબમાંથી અત્યાર સુધી કોઈપણ ટીમે આઈપીએલ જીતી નથી. તો હાર બાદ મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યા તૂટીને વિખેરાઈ ગયો હતો. મુંબઈના કેમ્પની કેટલીક દર્દનાક તસવીરો સામે આવી છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
ADVERTISEMENT
પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો બીજા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ સામે પરાજય થયો હતો અને છઠ્ઠી વખત ખિતાબ જીતવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. 2013 પછી આ પહેલી વાર છે જ્યારે મુંબઈએ પાંચ વર્ષમાં એક પણ આઈપીએલ ખિતાબ જીત્યો નથી. પંજાબ સામે હાર્યા બાદ મુંબઈના કેમ્પમાં નિરાશા જોવા મળી હતી.
પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો આઈપીએલ 2025ના બીજા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ સામે 5 વિકેટથી પરાજય થયો હતો અને છઠ્ઠી અને સૌથી વધુ વખત ટુર્નામેન્ટ જીતવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે 2013માં પહેલી વાર આઈપીએલ ખિતાબ જીત્યા બાદ, આ પહેલી વાર છે જ્યારે મુંબઈએ પાંચ વર્ષમાં એક પણ આઈપીએલ ખિતાબ જીત્યો નથી. 2020માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારથી તેઓ અત્યાર સુધી આઈપીએલ જીતી શક્યા નથી. જોકે, મુંબઈના છઠ્ઠા ખિતાબની શોધ ચાલુ રહેશે.
પંજાબ સામે હાર્યા બાદ મુંબઈ કેમ્પમાં નિરાશા
પંજાબ કિંગ્સ સામે બીજી ક્વોલિફાયર મેચ હારી ગયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ખૂબ જ નિરાશ થયા હતા. મેચ હાર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાન પર બેસી ગયો હતો. રોહિત શર્માનો ચહેરો પણ ફિક્કો પડી ગયો હતો. આ ઉપરાંત અશ્વિની કુમાર પણ નિરાશ દેખાતા હતા. ત્યારબાદ જસપ્રીત બુમરાહએ તેમને સાંત્વના આપી હતી. ખેલાડીઓ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીના કેટલાક ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં મેચ દરમિયાન તેમની પ્રતિક્રિયાઓ આશ્ચર્યજનક છે.
તે પોતાની ટીમના પ્રદર્શનથી બિલકુલ ખુશ દેખાતી નહોતી. જોકે, જ્યારે મુંબઈ દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફમાં પહોંચ્યું ત્યારે નીતા અંબાણીએ છઠ્ઠી IPL ટ્રોફીનો ઈશારો કર્યો હતો. પરંતુ, ટીમ તેની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. કદાચ હવે આપણે આગામી સિઝનમાં MIમાં કેટલાક મોટા ફેરફારો જોઈશું.
નીતા અંબાણી પણ નિરાશ
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીની સમગ્ર મેચ દરમિયાન અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જોકે, મોટાભાગે તે નિરાશ દેખાતી હતી. તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માથું પકડીને બેઠી છે.
રોહિત શર્મા પણ ઉદાસ
મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ નિરાશ દેખાતો હતો. જ્યારે શ્રેયસ ઐયર લાંબા છગ્ગા ફટકારી રહ્યો હતો, ત્યારે હિટમેનનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
હાર બાદ પંડ્યા મેદાનમાં જ બેસી ગયો
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મેચ હાર્યા બાદ મેદાન પર બેસી ગયો. તે ખૂબ જ ભાવુક થઈ ગયો. પછી જસપ્રીત બુમરાહે તેને સાંત્વના આપી.
પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ આ રીતે ચાલી
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ હારી પહેલા બેટિંગ કરી અને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 203 રન બનાવ્યા. પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 204 રનના લક્ષ્યનો પીછો કર્યો. આઈપીએલમાં મુંબઈ સામે આ પહેલી વાર કોઈ ટીમે 200 કે તેથી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો છે.

