IPL અને PSLને કારણે ન્યુ ઝીલૅન્ડમાં મોટા ભાગના મુખ્ય પ્લેયર્સ ગેરહાજર
ન્યુ ઝીલૅન્ડ સામે બંગલાદેશ ૧૨ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું
બંગલાદેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય સમય અનુસાર સવારે ૧૦.૩૦ વાગ્યાથી આ ત્રણેય મૅચની રમત શરૂ થશે. IPL અને PSLને કારણે ન્યુ ઝીલૅન્ડ પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વગર આ સિરીઝ રમવા ઊતરશે. ન્યુ ઝીલૅન્ડ એની અત્યાર સુધીની સૌથી બિનઅનુભવી ટીમોમાંની એક સાથે બંગલાદેશ પહોંચ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૫ બાદ બન્ને ટીમ વચ્ચે પહેલી વખત વન-ડે ફૉર્મેટની ટક્કર થશે. આ બન્ને ટીમ વચ્ચે ૪૬ વન-ડે મૅચ રમાઈ છે. ન્યુ ઝીલૅન્ડ ૪૬ મૅચ અને બંગલાદેશ ૧૧ મૅચ જીત્યું છે. વર્ષ ૨૦૨૩ની એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૨૪થી ૧૧ વન-ડે સિરીઝ રમાઈ છે. છેલ્લી પાંચ સહિત ટોટલ ૯ સિરીઝ ન્યુ ઝીલૅન્ડ જીત્યું છે. બંગલાદેશ વર્ષ ૨૦૧૦થી ૨૦૧૩ વચ્ચે બે સિરીઝ જ જીતી શક્યું છે.
