Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત અને કોહલીની ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમવાની શક્યતા ઓછી: સુનીલ ગાવસકર

રોહિત અને કોહલીની ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમવાની શક્યતા ઓછી: સુનીલ ગાવસકર

Published : 14 May, 2025 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના સ્ટાર બૅટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે વન-ડે ફૉર્મેટમાં જ રમતા જોવા મળશે. મોટા ભાગના ફૅન્સ અને ક્રિકેટ નિષ્ણાત માને છે કે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ રમ્યા બાદ જ બન્ને ક્રિકેટર્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેશે. 

સુનીલ ગાવસ્કર

સુનીલ ગાવસ્કર


T20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટ-ક્રિકેટમાંથી એક જ સમયગાળામાં રિટાયરમેન્ટ લેનાર ભારતના સ્ટાર બૅટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે વન-ડે ફૉર્મેટમાં જ રમતા જોવા મળશે. મોટા ભાગના ફૅન્સ અને ક્રિકેટ નિષ્ણાત માને છે કે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ રમ્યા બાદ જ બન્ને ક્રિકેટર્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેશે. 


જોકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ના, મને નથી લાગતું કે તેઓ (વન-ડે વર્લ્ડ કપ) રમશે. સાચું કહું તો મને નથી લાગતું કે તેઓ ત્યાં સુધી રમશે. જોકે એવી શક્યતા છે કે તેઓ આગામી એક વર્ષમાં શાનદાર ફૉર્મમાં આવશે અને સતત સેન્ચુરીઓ ફટકારતા રહેશે. જો આવું થશે તો ભગવાન પણ તેમને ટીમમાંથી દૂર કરી શકશે નહીં. 



તેઓ રમતના આ ફૉર્મેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. શું લાગે છે કે તેઓ ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ટીમમાં હશે? શું તેઓ જે પ્રકારનું યોગદાન આપવા માટે જાણીતા છે એ કરી શકશે? સિલેક્શન કમિટીએ આ વિશે ઘણો વિચાર કરવો પડશે. જો લાગશે કે તેઓ ટીમમાં એટલું જ યોગદાન આપશે જેટલું તેઓ અત્યારે આપી રહ્યા છે તો આ બન્ને પ્લેયર્સ પોતાનું સ્થાન જાળવી શકે છે.’


રોહિત શર્મા, આર. અશ્વિન બાદ વિરાટ કોહલીને પણ રમવા ન મળી ફેરવેલ ટેસ્ટ-મૅચ 
સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ વચ્ચે ભારતીય ક્રિકેટર્સની અણધારી વિદાયને કારણે ભારે રોષ છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશી ટીમોના પ્લેયર્સ ક્રિકેટના મેદાન પર પોતાની ફેરવેલ-મૅચ રમીને વિદાય લઈ રહ્યા છે, જ્યારે ભારતીય ફૅન્સને આવી ફેરવેલ-મૅચમાં હાજર રહી પોતાના ફેવરિટ ક્રિકેટરને એક શાનદાર વિદાય આપવાની તક નથી મળી રહી. ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન અને કારમી હારની અસરથી ભારતીય ટેસ્ટ-ક્રિકેટ ટીમે ત્રણ લેજન્ડ પ્લેયર્સ ગુમાવી દીધા છે. સ્પિનર રવિચન્દ્રન અશ્વિન, કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બૅટર વિરાટ કોહલીએ મેદાનની બહાર રિટાયરમેન્ટની જાહેરાત કરીને ભારતીય ફૅન્સને નિરાશ પણ કર્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK