Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેદાન પર હરીફ આપણો મિત્ર નહીં દુશ્મન હોય છે

મેદાન પર હરીફ આપણો મિત્ર નહીં દુશ્મન હોય છે

Published : 27 August, 2025 06:42 AM | Modified : 27 August, 2025 06:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાટ કોહલીની આક્રમકતાના મંત્રનો મોહમ્મદ સિરાજે કર્યો મોટો ખુલાસો...

મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી

મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી


ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીની આક્રમક માનસિકતા વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. વિરાટ કોહલી ક્રિકેટજગતના સૌથી આક્રમક પ્લેયર્સ અને કૅપ્ટન્સમાંથી એક રહ્યો છે. મોહમ્મદ સિરાજની ક્રિકેટ-કરીઅર વિરાટ કોહલીના નેતૃત્વમાં ખીલી છે. બન્ને મેદાન પર અને બહાર પણ મજબૂત સંબંધ ધરાવે છે.


તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં વિરાટભાઈ પાસેથી આ શીખ્યું છે. વિરાટભાઈ હંમેશાં અમને કહેતા હતા કે આપણે આક્રમકતા અને જુસ્સાથી ક્રિકેટ રમવું જોઈએ. જ્યારે આપણે મેદાન પર હોઈએ છીએ ત્યારે હરીફ આપણો મિત્ર નથી હોતો. હરીફ આપણો દુશ્મન હોય છે. મૅચ પૂરી થયા પછી આપણે બધા મિત્રો હોઈએ છીએ. જો હું રમતને જુસ્સાથી નહીં રમું તો હું પહેલાં જેવો બોલર નહીં રહી શકું. જો મેદાન પર કંઈ બોલીશ નહીં તો હું ક્યારેય ફરક પાડી શકીશ નહીં. મને એ તીવ્રતાની જરૂર છે જેને વિરાટભાઈએ ટેકો આપ્યો હતો.’



 દુનિયા ભૂલી ગઈ હતી કે સિરાજ કોણ હતો. મને ખબર હતી કે જો હું મોંથી બોલીશ તો બહુ ઓછા લોકો સાંભળશે, પણ જો મારો બૉલ બોલશે તો આખી દુનિયાએ સાંભળવું પડશે. 
-  ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટૂર વિશે વાત કરતાં)


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2025 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK