મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનના ગરીબ પરિવારોના 2 થી 10 વર્ષના નવ યુવાન યોદ્ધાઓને ડૉ. શાંતનુ સેન અને તેમની ટીમની દેખરેખ હેઠળ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ સ્વસ્થ જીવન જીવવાની બીજી તક આપવામાં મળી. થેલેસેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને કૅન્સર સામે લડતા, આ બાળકોએ જીવલેણ બીમારીઓ પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
