Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક દિન ફ્લૉપ ગઈ એટલે આમિર ખાન ડિપ્રેશનમાં

એક દિન ફ્લૉપ ગઈ એટલે આમિર ખાન ડિપ્રેશનમાં

Published : 22 May, 2026 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિરે આ મુદ્દે ખુલીને વાત કરી છે

આમિર ખાનની ફાઇલ તસવીર

આમિર ખાનની ફાઇલ તસવીર


આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું હતું અને તેણે જોરશોરથી ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. જોકે ફિલ્મ ન ચાલતાં આમિર ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને હવે આમિરે આ મુદ્દે ખુલીને વાત કરી છે.

પોતાની ફિલ્મોની નિષ્ફળતા વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે ‘જ્યારે ફિલ્મ ફ્લૉપ થાય છે ત્યારે મારું દિલ તૂટી જાય છે. આખરે અમે ફિલ્મ દર્શકો માટે જ બનાવીએ છીએ. જ્યારે લોકો ટિકિટ ખરીદીને થિયેટર સુધી આવે અને તેમને ફિલ્મ પસંદ ન પડે તો તેનો અર્થ એ છે કે અમારા કામમાં કોઈ ખામી રહી ગઈ છે. દર્શકો જાણીને ખરાબ ફિલ્મ જોવા નથી જતા. જો તેઓ નિરાશ થાય છે તો એનો સીધો અર્થ છે કે તમે ક્યાંક ભૂલ કરી છે. જ્યારે ફિલ્મ નથી ચાલતી ત્યારે હું બે-ત્રણ મહિના સુધી ડિપ્રેશનમાં ચાલ્યો જાઉં છું. મારા માટે દરેક ફિલ્મ બાળક જેવી હોય છે. જ્યારે એ નથી ચાલતી અને લોકો એને નકારી દે છે ત્યારે બહુ દુઃખ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK